Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 9-11 (23. Paramarthvinshati).

< Previous Page   Next Page >


Page 358 of 378
PDF/HTML Page 384 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
स्निग्धा मा मुनयो भवन्तु गृहिणो यच्छन्तु मा भोजनं
मा किंचिद्धनमस्तु मा वपुरिदं रुग्वर्जितं जायताम्
नग्नं मामवलोक्य निन्दतु जनस्तत्रापि खेदो न मे
नित्यानन्दपदप्रदं गुरुवचो जागर्ति चेच्चेतसि
।।।।
અનુવાદ : જો મારા હૃદયમાં નિત્ય આનંદપ્રદ અર્થાત્ મોક્ષપદ આપનારી
ગુરુની વાણી જાગે છે તો મુનિજનો સ્નેહ કરનાર ભલે ન હોય, ગૃહસ્થો જો ભોજન
ન આપે તો ન આપો, મારી પાસે કાંઈ પણ ધન ન હોય, આ શરીર રોગ રહિત
ન હો અર્થાત્ રોગવાળુ પણ હો તથા મને નગ્ન જોઈને લોકો નિન્દા પણ કરો; તો
પણ મને તેમાં જરાય ખેદ નહિ થાય. ૯.
(शार्दूलविक्रीडित)
दुःखघ्यालसमाकुले भववने हिंसादिदोषद्रुमे
नित्यं दुर्गतिपल्लिपातिकुपथे भ्राम्यन्ति सर्वे ऽङ्गिनः
तन्मध्ये सुगुरुप्रकाशितपथे प्रारब्धयानो जनः
यात्यानन्दकरं परं स्थिरतरं निर्वाणमेकं परम्
।।१०।।
અનુવાદ : જે સંસારરૂપી વન દુઃખોરૂપ સર્પો (અથવા હાથીઓ) થી વ્યાપ્ત
છે. હિંસા આદિ દોષરૂપ વૃક્ષો સહિત છે તથા નરકાદિ દુર્ગતિરૂપ ભીલ વસ્તી તરફ
જતા કુમાર્ગથી યુક્ત છે, તેમાં સર્વ પ્રાણી સદા પરિભ્રમણ કરે છે. ઉક્ત સંસારરૂપી
વનની અંદર જે મનુષ્ય ઉત્તમ ગુરુ દ્વારા બતાવવામાં આવેલા માર્ગે (મોક્ષમાર્ગમાં)
ગમન શરૂ કરી દે છે તે તે અદ્વિતીય મોક્ષરૂપ નગરને પ્રાપ્ત થાય છે, જે આનંદ
આપનાર છે, ઉત્કૃષ્ટ છે તથા અત્યંત સ્થિર (અવિનશ્વર) પણ છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
यत्सातं यदसातमङ्गिषु भवेत्तत्कर्मकार्यं तत-
स्तत्कर्मैव तदन्यदात्मन इदं जानन्ति ये योगिनः
द्रग्भेदविभावनाश्रितधियां तेषां कुतो ऽहं सुखी
दुःखी चेति विकल्पकल्मषकला कुर्यात्पदं चेतसि ।।११।।
૩૫૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ