વાત જે યોગી જાણે છે તથા જેમની બુદ્ધિ આ જાતના ભેદની ભાવનાનો આશ્રય
લઈ ચૂકી છે તે યોગીઓના મનમાં ‘હું સુખી છું. અથવા હું દુઃખી છું’ આ પ્રકારના
વિકલ્પથી મલિન કળા ક્યાંથી સ્થાન પ્રાપ્ત કરી શકે? અર્થાત્ તે યોગીઓના મનમાં
તેવો વિકલ્પ કદી ઉત્પન્ન થતો નથી. ૧૧.
सर्वं भक्ति परा वयं व्यवहृते मार्गे स्थिता निश्चयात्
स्फारीभूतमतिप्रबन्धमहसामात्मैव तत्त्वं परम्
નિશ્ચયથી અભેદ (અદ્વૈત)નો આશ્રય લેવાથી પ્રગટ થયેલ ચૈતન્યગુણથી પ્રકાશમાં
આવેલી બુદ્ધિના વિસ્તારરૂપ તેજ સહિત અમારે માટે કેવળ આત્મા જ ઉત્કૃષ્ટ
તત્ત્વ રહે છે.
એથી તેને પુણ્યકર્મનો બંધ થાય છે જે નિશ્ચયમાર્ગની પ્રાપ્તિનું સાધન થાય છે. પછી જ્યારે
તે નિશ્ચયમાર્ગ ઉપર આરૂઢ થઈ જાય છે ત્યારે તેની બુદ્ધિ અભેદ (અદ્વૈત)નો આશ્રય લઈ
લે છે. તે એમ સમજવા લાગે છે કે સ્ત્રી, પુત્ર અને મિત્ર તથા જે શરીર નિરંતર આત્મા
સાથે સંબંધવાળું રહે છે તે પણ મારૂં નથી; હું ચૈતન્યનો એક પિંડ છું
પરતંત્ર રાખે છે. માટે આ દ્રષ્ટિએ તે પૂજ્ય
ત્યાંસુધી તેણે વ્યવહારમાર્ગનું આલંબન લઈને જિનપૂજનાદિ શુભ કાર્યો કરવા જ જોઈએ, નહિ
તો તેનો સંસાર દીર્ઘ થઈ શકે છે. ૧૨.