Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 15-17 (23. Paramarthvinshati).

< Previous Page   Next Page >


Page 361 of 378
PDF/HTML Page 387 of 404

 

background image
થયેલા જેવો સમજવા લાગે છે. તાત્પર્ય એ છે કે એકત્વબુદ્ધિ ઉત્પન્ન થતાં જીવને ઇન્દ્રિય
વિષયોમાં અનુરાગ રહેતો નથી. તે વખતે તે ઇન્દ્રિયોને નષ્ટ થયા સમાન માનીને મુક્તિને હાથમાં
આવેલી જ સમજે છે. ૧૪.
(शार्दूलविक्रीडित)
कर्मक्षत्युपशान्तिकारणवशात्सद्देशनाया गुरो-
रात्मैकत्वविशुद्धबोधनिलयो निःशेषसंगोज्झितः
शश्वत्तद्गतभावनाश्रितमना लोके वसन् संयमी
नावद्येन स लिप्यते ऽब्जदलवत्तोयेन पद्माकरे
।।१५।।
અનુવાદ : જે સંયમી કર્મના ક્ષય અથવા ઉપશમના કારણ વશે તથા ગુરુના
સદુપદેશથી આત્માની એકતા વિષય નિર્મળ જ્ઞાનનું સ્થાન બની ગયા છે, જેમણે સમસ્ત
પરિગ્રહનો પરિત્યાગ કરી દીધો છે તથા જેમનું મન નિરંતર આત્માની એકતાની ભાવનાને
આશ્રિત રહે છે; તે સંયમી પુરુષ લોકમાં રહેવા છતાં પણ એ રીતે પાપથી લેપાતા નથી
જેવી રીતે તળાવમાં સ્થિત કમળપત્ર પાણીથી લેપાતું નથી. ૧૫.
(शार्दूलविक्रीडित)
गुर्वङ्ध्रिद्वयदत्तमुक्ति पदवीप्राप्त्यर्थनिर्ग्रन्थता-
जातानन्दवशान्ममेन्द्रियसुखं दुःखं मनो मन्यते
सुस्वादुः प्रतिभासते किल खलस्तावत्समासादितो
यावन्नो सितशर्करातिमधुरा संतर्पिणी लभ्यते
।।१६।।
અનુવાદ : ગુરુના ચરણયુગલ દ્વારા મુક્તિ પદવી પ્રાપ્ત કરવા માટે જે
નિર્ગ્રન્થતા (દિગંબરત્વ) આપવામાં આવ્યું છે તેના નિમિત્તે ઉત્પન્ન થયેલ આનંદના
પ્રભાવથી મારૂં મન ઇન્દ્રિયવિષયજનિત સુખને દુઃખરૂપ જ માને છે. બરાબર છે
પ્રાપ્ત થયેલો ખોળ (તેલ કાઢી લીધા પછી જે તલ આદિનો ભાગ શેષ રહે છે) ત્યાં
સુધી જ સ્વાદિષ્ટ લાગે છે જ્યાંસુધી અતિશય મીઠી સફેદ સાકર (મિશ્રી) તૃપ્ત કરનાર
પ્રાપ્ત થતી નથી. ૧૬.
(शार्दूलविक्रीडित)
निर्ग्रन्थत्वमुदा ममोज्ज्वलतरध्यानाश्रितस्फीतया
दुर्घ्यानाक्षसुखं पुनः स्मृतिपथप्रस्थाय्यपि स्यात्कुतः
અધિકાર૨૩ઃ પરમાર્થવિંશતિ ]૩૬૧