તેના નિમિત્તે અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. ૧.
शौचस्नानविधानवारिविहितप्रक्षालनं रुग्भूतम्
तत्रान्नं वसनानि पट्टकमहो तत्रापि रागी जनः
રસથી પરિપૂર્ણ છે, પવિત્રતા સૂચક સ્નાનને સિદ્ધ કરનાર જળથી જેને ધોવામાં
આવે છે, છતાં પણ જે રોગોથી પરિપૂર્ણ છે; એવા તે મનુષ્યના શરીરને ઉત્કૃષ્ટ
બુદ્ધિના ધારક વિદ્વાનો નસ સાથે સંબંધવાળા ગૂમડા આદિના જખ્મ સમાન બતાવે
છે. તેમાં અન્ન (આહાર) તો ઔષધ સમાન છે અને વસ્ત્ર પાટા સમાન છે છતાં
પણ આશ્ચર્ય છે કે તેમાં પણ મનુષ્ય અનુરાગ કરે છે.
છે તેવી જ રીતે શરીરમાં પણ તે રહે જ છે. ઘાવમાંથી જો નિરંતર પરૂ અને લોહી વગેરે
વહ્યા કરે છે તો આ શરીરમાંથી પણ નિરંતર પરસેવો વગેરે વહ્યા જ કરે છે. ઘાવને જો
જળથી ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે તો આ શરીરને પણ જળથી સ્નાન કરાવીને સ્વચ્છ
કરવામાં આવે છે, ઘાવ જેમ રોગથી પૂર્ણ છે તેવી જ રીતે શરીર પણ રોગોથી પરિપૂર્ણ છે.
ઘાવને રુઝવવા માટે જો દવા લગાડવામાં આવે છે તો શરીરને ભોજન આપવામાં આવે છે,
તથા જો ઘાવને પાટાથી બાંધવામાં આવે છે તો આ શરીરને પણ વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે.
આ રીતે શરીરમાં ઘાવની સમાનતા હોવા છતાં પણ આશ્ચર્ય એક એ જ છે કે ઘાવને તો
મનુષ્ય ઇચ્છતો નથી પરંતુ આ શરીરમાં તે અનુરાગ કરે છે. ૨.