ચન્દન આદિ દ્વારા પવિત્રતાનો સ્વીકાર કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય
સ્વભાવથી અપવિત્ર તે મનુષ્ય શરીરને સ્નાનાદિ દ્વારા શુદ્ધ માની શકતા નથી. ૩.
स्याच्चेन्मोहकुजन्मरन्ध्ररहितं शुष्कं तपोघर्मतः
तत्तत्तत्र नियोजितं वरमथासारं सदा सर्वथा
(સૂકાયેલ) અને અંદર ગુરુતા રહિત હોય તો સંસારરૂપ નદી પાર કરાવવામાં સમર્થ
થાય છે. માટે તેને મોહ અને કુજન્મરહિત કરીને તપમાં લગાવવું તે ઉત્તમ છે. એ
વિના તે સદા અને સર્વ પ્રકારે નિઃસાર છે.
જો તે તુંબડી છેદ રહિત, તડકામાં સૂકવેલી અને વચમાં ગૌરવ (ભારેપણા) રહિત હોય તો નદીમાં
તરવાના કામમાં આવે છે. બરાબર એ જ રીતે જો આ શરીર પણ મોહ અને દુષ્કુળરૂપ છેદ રહિત,
તપથી ક્ષીણ અને ગૌરવ (અભિમાન) રહિત હોય તો તે સંસારરૂપી નદી પાર થવામાં સહાયક
થાય છે. તેથી જે ભવ્ય પ્રાણી સંસારરૂપ નદીથી પાર થઈને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે
તેમણે આ દુર્લભ મનુષ્ય શરીરને તપ આદિમાં લગાવવું જોઈએ. નહિતર તેને ફરીથી પ્રાપ્ત કરવું
બહુ મુશ્કેલ થશે. ૪.
भवति यदनुभावादक्षया मोक्षलक्ष्मीः