Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 4-5 (24. Sharirashtak).

< Previous Page   Next Page >


Page 367 of 378
PDF/HTML Page 393 of 404

 

background image
અનુવાદ : મનુષ્યોના સમસ્ત શરીર સદા અને સર્વ પ્રકારે નિયમથી અપવિત્ર
રહે છે. તેથી આ શરીરોના વિષયમાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય જળનિર્મિત સ્નાન અને
ચન્દન આદિ દ્વારા પવિત્રતાનો સ્વીકાર કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય
સ્વભાવથી અપવિત્ર તે મનુષ્ય શરીરને સ્નાનાદિ દ્વારા શુદ્ધ માની શકતા નથી. ૩.
(शार्दूलविक्रीडित)
तिक्तेष्वा [क्ष्वा]कुफलोपमं वपुरिदं नैवोपभोग्यं नृणां
स्याच्चेन्मोहकुजन्मरन्ध्ररहितं शुष्कं तपोघर्मतः
नान्तर्गौरवितं तदा भवनदीतारे क्षमं जायते
तत्तत्तत्र नियोजितं वरमथासारं सदा सर्वथा
।।।।
અનુવાદ : આ મનુષ્યોનું શરીર કડવી તુંબડી સમાન છે, તેથી તે ઉપભોગ
યોગ્ય નથી, જો તે મોહ અને કુજન્મરૂપ છિદ્રોરહિત, તપરૂપ ઘામ(તડકા) થી શુષ્ક
(સૂકાયેલ) અને અંદર ગુરુતા રહિત હોય તો સંસારરૂપ નદી પાર કરાવવામાં સમર્થ
થાય છે. માટે તેને મોહ અને કુજન્મરહિત કરીને તપમાં લગાવવું તે ઉત્તમ છે. એ
વિના તે સદા અને સર્વ પ્રકારે નિઃસાર છે.
વિશેષાર્થ : અહીં મનુષ્યના શરીરને કડવી તુંબડીની ઉપમા આપીને એમ બતાવ્યું છે
કે જેમ કડવી તુંબડી ખાવા યોગ્ય હોતી નથી તેવી જ રીતે આ શરીર પણ અનુરાગ યોગ્ય નથી.
જો તે તુંબડી છેદ રહિત, તડકામાં સૂકવેલી અને વચમાં ગૌરવ (ભારેપણા) રહિત હોય તો નદીમાં
તરવાના કામમાં આવે છે. બરાબર એ જ રીતે જો આ શરીર પણ મોહ અને દુષ્કુળરૂપ છેદ રહિત,
તપથી ક્ષીણ અને ગૌરવ (અભિમાન) રહિત હોય તો તે સંસારરૂપી નદી પાર થવામાં સહાયક
થાય છે. તેથી જે ભવ્ય પ્રાણી સંસારરૂપ નદીથી પાર થઈને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે
તેમણે આ દુર્લભ મનુષ્ય શરીરને તપ આદિમાં લગાવવું જોઈએ. નહિતર તેને ફરીથી પ્રાપ્ત કરવું
બહુ મુશ્કેલ થશે. ૪.
(मालिनी)
भवतु भवतु याद्रक् ताद्रगेतद्वपुर्मे
हृदि गुरुवचनं चेदस्ति तत्तत्वदर्शि
त्वरितमसमसारानन्दकन्दायमाना
भवति यदनुभावादक्षया मोक्षलक्ष्मीः
।।।।
અધિકાર૨૪ઃ શરીરાષ્ટક ]૩૬૭