Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 6-7 (24. Sharirashtak).

< Previous Page   Next Page >


Page 368 of 378
PDF/HTML Page 394 of 404

 

background image
અનુવાદ : જો હૃદયમાં જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરનાર
ગુરુનો ઉપદેશ સ્થિત હોય તો મારૂં જેવું આ શરીર હોય તે તેવું બની રહો અર્થાત્
તેનાથી મને કોઈ જાતનો ખેદ નથી. એનું કારણ એ છે કે ઉક્ત ગુરુના ઉપદેશના
પ્રભાવથી અસાધારણ અને ઉત્કૃષ્ટ આનંદના કારણભૂત અવિનશ્વર મોક્ષલક્ષ્મી શીઘ્ર
જ પ્રાપ્ત થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
पर्यन्ते कृमयो ऽथ वह्निवशतो भस्मैव मत्स्यादनात्
विष्टा स्यादथवा वपुःपरिणतिस्तस्ये
द्रशी जायते
नित्यं नैव रसायनादिभिरपि क्षय्येव यत्तत्कृते
कः पापं कुरुते बुधो ऽत्र भविता कष्टा यतो दुर्गतिः
।।।।
અનુવાદ : આ શરીર અંતે અર્થાત્ પ્રાણરહિત થતાં કીડાસ્વરૂપ અથવા
અગ્નિને વશ થઈને ભસ્મસ્વરૂપ અથવા માછલીઓએ ખાવાથી વિષ્ઠા (મળ) સ્વરૂપ
થઈ જાય છે, તે શરીરનું પરિણમન એવું જ થાય છે. ઔષધિ આદિ દ્વારા પણ નિત્ય
નથી. પરંતુ વિનશ્વર જ છે, તો ભલા ક્યો વિદ્વાન્ મનુષ્ય એના વિષયમાં પાપકાર્ય
કરે? અર્થાત્ કોઈ પણ વિદ્વાન્ તેના નિમિત્તે પાપકર્મ કરતો નથી. કારણ એ છે કે
તે પાપથી નરકાદિ દુર્ગતિ જ પ્રાપ્ત થાય છે. ૬.
(शार्दूलविक्रीडित)
संसारस्तनुयोग एष विषयो दुःखान्यतो देहिनो
वह्नेर्लोहसमाश्रितस्य घनतो घाताद्यतो निष्ठुरात्
त्याज्या तेन तनुर्मुमुक्षुभिरियं युक्त्वा महत्या तया
नो भूयो ऽपि ययात्मनो भवकृते तत्संनिधिर्जायते
।।।।
અનુવાદ : આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય
છે જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છેલોઢાનો આશ્રય લેનાર અગ્નિને કઠોર
ઘણના ઘા સહન કરવા પડે છે. તેથી મોક્ષાર્થી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન્
યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે
ફરીથી ન થઈ શકે.
૩૬૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ