પણ તેની સાથે અનેક પ્રકારના દુઃખ સહેવા પડે છે. તેથી ગ્રન્થકાર કહે છે કે તપ આદિ
દ્વારા તે શરીરને આ રીતે છોડવાનો પ્રયાસ કરવો જોઈએ. કે જેથી ફરીથી તેની પ્રાપ્તિ ન
થાય. કારણ એ છે કે આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ કરીને જો તેના દ્વારા સાધ્ય સંયમ અને
તપ આદિનું આચરણ ન કર્યું તો પ્રાણીને તે શરીર ફરી ફરી પ્રાપ્ત થતું જ રહેશે અને તેથી
શરીરની સાથે કષ્ટો પણ સહન કરવા જ પડશે. ૭.
कालदिष्टजरा करोत्यनुदिनं तज्जर्जरं चानयोः
साक्षात्कालपुरःसरा यदि तदा कास्था स्थिरत्वे नृणाम्
એક પેલી વૃદ્ધાવસ્થા જ વિજયી થાય છે કારણ કે તેની આગળ સાક્ષાત્ કાળ
(યમરાજ) સ્થિત છે. આવી હાલતમાં જ્યાં શરીરની આ સ્થિતિ છે તો પછી
તેની સ્થિરતામાં મનુષ્યોનો ક્યો પ્રયત્ન ચાલી શકે? અર્થાત્ તેનો કોઈ પણ પ્રયત્ન
ચાલી શકતો નથી. ૮.