Padmanandi Panchvinshati (Gujarati). 25. Snanashtak Shlok: 1-2 (25. Snanashtak).

< Previous Page   Next Page >


Page 370 of 378
PDF/HTML Page 396 of 404

 

background image
૨૫. સ્નાનાષ્ટક
[२५. स्नानाष्टकम् ]
(शार्दूलविक्रीडित)
सन्माल्यादि यदीयसंनिधिवशादस्पृश्यतामाश्चयेद्
विष्मूत्रादिभृतं रसादिघटितं बीभत्सु यत्पूति च
आत्मानं मलिनं करोत्यपि शुचिं सर्वाशुचिनामिदं
संकेतैकगृहं नृणां वपुरपां स्नानात्कथं शुद्धयति
।।।।
અનુવાદ : જે શરીરની સમીપતાને કારણે ઉત્તમ માળા આદિ અડવાને પણ
યોગ્ય રહેતાં નથી, જે મળ અને મૂત્ર આદિથી ભરેલું છે, રસ અને રુધિર આદિ
સાત ધાતુઓથી રચાયેલું છે, ભયાનક છે; દુર્ગન્ધયુક્ત છે અને જે નિર્મળ આત્માને
પણ મલિન કરે છે; એવું સમસ્ત અપવિત્રતાઓના એક સંકેતગૃહ સમાન આ મનુષ્યોનું
શરીર જળના સ્નાનથી કેવી રીતે શુદ્ધ થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ. ૧.
(शार्दूलविक्रीडित)
आत्मातीव शुचिः स्वभावत इति स्नानं वृथास्मिन् परे
कायश्चाशुचिरेव तेन शुचितामभ्येति नो जातुचित्
स्नानस्योभयथेत्यभूद्बिफलता ये कुर्वते तत्पुनस्-
तेषां भूजलकीटकोटिहननात्पापाय रागाय च
।।।।
અનુવાદ : આત્મા તો સ્વભાવથી અત્યંત પવિત્ર છે, તેથી તે ઉત્કૃષ્ટ આત્માના
વિષયમાં સ્નાન વ્યર્થ જ છે; તથા શરીર સ્વભાવથી અપવિત્ર જ છે. તેથી તે પણ
કદી તે સ્નાન દ્વારા પવિત્ર થઈ શકતું નથી. આ રીતે સ્નાનની વ્યર્થતા બન્નેય પ્રકારે
સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો તે સ્નાન કરે છે તે તેને માટે કરોડો પૃથ્વીકાયિક,
૩૭૦