થાય છે.
છે કે ઉક્ત સ્નાન દ્વારા આત્મા તો પવિત્ર થતો નથી કારણ કે તે પોતે જ પવિત્ર છે. વળી તેનાથી
શરીરની શુદ્ધિ થતી હોય, તો એ પણ કહી શકાતું નથી; કારણ કે તે સ્વભાવથી જ અપવિત્ર છે.
જેમ કોલસાને પાણીથી ઘસી ઘસીને ધોવા છતાં પણ તે કદી કાળાપણું છોડી શકતો નથી અથવા
મળથી ભરેલો ઘડો કદી બહાર સાફ કરવાથી શુદ્ધ થઈ શકતો નથી. તેવી જ રીતે મળ
સ્નાનની વ્યર્થતા સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો સ્નાન કરે છે તેઓ જળકાયિક, પૃથ્વીકાયિક
અને અન્ય ત્રસ જીવોનો પણ તેના દ્વારા ઘાત કરે છે; માટે તે કેવળ હિંસાજનિત પાપના ભાગીદાર
થાય છે. તે સિવાય તેઓ શરીરની બાહ્ય સ્વચ્છતામાં રાગ પણ રાખે છે, એ પણ પાપનું જ કારણ
છે. અભિપ્રાય એ છે કે નિશ્ચયદ્રષ્ટિથી વિચાર કરતાં સ્નાન દ્વારા શરીર તો શુદ્ધ થતું નથી, ઉલ્ટું
જીવહિંસા અને આરંભ આદિ જ તેનાથી થાય છે. એ જ કારણે મુનિઓના મૂળગુણોમાં જ તેનો
નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ વ્યવહારની અપેક્ષાએ તે અનાવશ્યક નથી, પરંતુ ગૃહસ્થને માટે
તે આવશ્યક પણ છે. કારણ કે તેના વિના શરીર તો મલિન રહે જ છે. સાથે મન પણ મલિન
રહે છે. સ્નાન વિના જિનપૂજાદિ શુભ કાર્યોમાં પ્રસન્નતા પણ રહેતી નથી. હા, એ અવશ્ય છે કે
બાહ્ય શુદ્ધિની સાથે જ અભ્યંતર શુદ્ધિનું પણ ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો અંતરંગમાં મદ
मिथ्यात्वादिमलव्यपायजनकः स्नानं विवेकः सताम्
न्नो धर्मो न पवित्रता खलु ततः काये स्वभावाशुचौ
થાય છે તે જ વાસ્તવમાં સજ્જન પુરુષોનું સ્નાન છે. એનાથી ભિન્ન જે જળકૃત સ્નાન
છે તે પ્રાણીસમૂહને પીડાજનક હોવાથી પાપ કરનાર છે. તેનાથી ન તો ધર્મ સંભવે
છે અને ન સ્વભાવથી અપવિત્ર શરીરની પવિત્રતા પણ સંભવે છે. ૩.