Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3 (25. Snanashtak).

< Previous Page   Next Page >


Page 371 of 378
PDF/HTML Page 397 of 404

 

background image
જળકાયિક અને અન્ય જંતુઓની હિંસાનું કારણ હોવાથી પાપ અને રાગનું જ કારણ
થાય છે.
વિશેષાર્થ : અહીં સ્નાન આવશ્યકતાનો વિચાર કરતાં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે
તેનાથી શું આત્મા પવિત્ર થાય છે કે શરીર? તેના ઉત્તરમાં વિચાર કરતાં એ ચોક્કસ પ્રતીત થાય
છે કે ઉક્ત સ્નાન દ્વારા આત્મા તો પવિત્ર થતો નથી કારણ કે તે પોતે જ પવિત્ર છે. વળી તેનાથી
શરીરની શુદ્ધિ થતી હોય, તો એ પણ કહી શકાતું નથી; કારણ કે તે સ્વભાવથી જ અપવિત્ર છે.
જેમ કોલસાને પાણીથી ઘસી ઘસીને ધોવા છતાં પણ તે કદી કાળાપણું છોડી શકતો નથી અથવા
મળથી ભરેલો ઘડો કદી બહાર સાફ કરવાથી શુદ્ધ થઈ શકતો નથી. તેવી જ રીતે મળ
મૂત્રાદિથી
પરિપૂર્ણ આ સપ્તધાતુમય શરીર પણ કદી સ્નાન દ્વારા શુદ્ધ થઈ શકતું નથી. આ રીતે બન્નેય પ્રકારે
સ્નાનની વ્યર્થતા સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો સ્નાન કરે છે તેઓ જળકાયિક, પૃથ્વીકાયિક
અને અન્ય ત્રસ જીવોનો પણ તેના દ્વારા ઘાત કરે છે; માટે તે કેવળ હિંસાજનિત પાપના ભાગીદાર
થાય છે. તે સિવાય તેઓ શરીરની બાહ્ય સ્વચ્છતામાં રાગ પણ રાખે છે, એ પણ પાપનું જ કારણ
છે. અભિપ્રાય એ છે કે નિશ્ચયદ્રષ્ટિથી વિચાર કરતાં સ્નાન દ્વારા શરીર તો શુદ્ધ થતું નથી, ઉલ્ટું
જીવહિંસા અને આરંભ આદિ જ તેનાથી થાય છે. એ જ કારણે મુનિઓના મૂળગુણોમાં જ તેનો
નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ વ્યવહારની અપેક્ષાએ તે અનાવશ્યક નથી, પરંતુ ગૃહસ્થને માટે
તે આવશ્યક પણ છે. કારણ કે તેના વિના શરીર તો મલિન રહે જ છે. સાથે મન પણ મલિન
રહે છે. સ્નાન વિના જિનપૂજાદિ શુભ કાર્યોમાં પ્રસન્નતા પણ રહેતી નથી. હા, એ અવશ્ય છે કે
બાહ્ય શુદ્ધિની સાથે જ અભ્યંતર શુદ્ધિનું પણ ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો અંતરંગમાં મદ
માત્સર્યાદિ ભાવ હોય તો કેવળ આ બાહ્ય શુદ્ધિ કાર્યકારી નહિ થાય. ૨.
(शार्दूलविक्रीडित)
चित्ते प्राग्भवकोटिसंचितरजःसंबन्धिताविर्भवन्-
मिथ्यात्वादिमलव्यपायजनकः स्नानं विवेकः सताम्
अन्यद्वारिकृतं तु जन्तुनिकरव्यापादनात्पापकृ-
न्नो धर्मो न पवित्रता खलु ततः काये स्वभावाशुचौ
।।।।
અનુવાદ : ચિત્તમાં પૂર્વના કરોડો ભવોમાં સંચિત થયેલી પાપકર્મરૂપી ધૂળના
સંબંધથી પ્રગટ થતા મિથ્યાત્વ આદિરૂપ મળને નષ્ટ કરનાર જે વિવેકબુદ્ધિ ઉત્પન્ન
થાય છે તે જ વાસ્તવમાં સજ્જન પુરુષોનું સ્નાન છે. એનાથી ભિન્ન જે જળકૃત સ્નાન
છે તે પ્રાણીસમૂહને પીડાજનક હોવાથી પાપ કરનાર છે. તેનાથી ન તો ધર્મ સંભવે
છે અને ન સ્વભાવથી અપવિત્ર શરીરની પવિત્રતા પણ સંભવે છે. ૩.
અધિકાર૨૫ઃ સ્નાનાષ્ટક ]૩૭૧