Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 4-6 (25. Snanashtak).

< Previous Page   Next Page >


Page 372 of 378
PDF/HTML Page 398 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
सम्यग्बोधविशुद्धवारिणि लसत्सद्दर्शनोर्मिव्रजे
नित्यानन्दविशेषशैत्यसुभगे निःशेषपापद्रुहि
सत्तीर्थे परमात्मनामनि सदा स्नानं कुरुध्वं बुधाः
शुद्धयर्थं किमु धावत त्रिपथगामालपयासाकुलाः
।।।।
અનુવાદ : હે વિદ્વાનો! જે પરમાત્મા નામનું સમીચીન તીર્થ સમ્યગ્જ્ઞાનરૂપ
નિર્મળ જળથી પરિપૂર્ણ છે, શોભાયમાન સમ્યક્દર્શનરૂપ લહેરોના સમૂહથી વ્યાપ્ત છે,
અવિનશ્વર આનંદવિશેષરૂપ (અનંતસુખ) શૈત્યથી મનોહર છે તથા સમસ્ત પાપોને નષ્ટ
કરનાર છે. તેમાં તમે નિરંતર સ્નાન કરો. વ્યર્થ પરિશ્રમથી વ્યાકુળ થઈને શુદ્ધિ માટે
ગંગા તરફ કેમ દોડો છો? અર્થાત્ ગંગા આદિમાં સ્નાન કરવાથી કાંઈ અંતરંગ શુદ્ધિ
થઈ શકતી નથી, તે તો પરમાત્માના સ્મરણ અને તેના સ્વરૂપ ચિંતન આદિથી જ
થઈ શકે છે, માટે તેમાં જ અવગાહન કરવું જોઈએ. ૪.
(शार्दूलविक्रीडित)
नो द्रष्टः शुचितत्त्वनिश्चयनदो न ज्ञानरत्नाकरः
पापैः क्वापि न द्रश्यते च समतानामातिशुद्धो नदी
तेनैतानि विहाय पापहरणे सत्यानि तीर्थानि ते
तीर्थाभाससुरापगादिषु जडा मज्जन्ति तुष्यन्ति च
।।।।
અનુવાદ : પાપી જીવોએ ન તત્ત્વના નિશ્ચયરૂપ પવિત્ર નદ (વિશેષ નદી)
જોયેલ છે અને ન જ્ઞાનરૂપ સમુદ્ર પણ જોયો છે તેઓ સમતા નામની અતિશય પવિત્ર
નદી પણ ક્યાંક જોતા નથી તેથી તે મૂર્ખાઓ પાપનો નાશ કરવાના વિષયમાં
યથાર્થભૂત આ સમીચીન તીર્થો છોડીને તીર્થ જેવા જણાતા ગંગા આદિ તીર્થાભાસોમાં
સ્નાન કરીને સંતુષ્ટ થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
नो तीर्थं न जलं तदस्ति भुवने नान्यत्किमप्यस्ति तत्
निःशेषाशुचि येन मानुषवपुः साक्षादिदं शुद्धयति
૩૭૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ