Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 7-8 (25. Snanashtak).

< Previous Page   Next Page >


Page 373 of 378
PDF/HTML Page 399 of 404

 

background image
आधिव्याधि जरामृतिप्रभृतिभिर्व्याप्तं तथैतत्पुनः
शश्वत्तापकरं यथास्य वपुषो नामाप्यसह्यं सताम्
।।।।
અનુવાદ : સંસારમાં એવું કોઈ તીર્થ નથી, એવું કોઈ જળ નથી તથા અન્ય
પણ એવી કોઈ વસ્તુ નથી; જેના દ્વારા પૂર્ણપણે અપવિત્ર આ મનુષ્યનું શરીર પ્રત્યક્ષમાં
શુદ્ધ થઈ શકે, આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ ( શારીરિક કષ્ટ), ઘડપણ (વૃદ્ધાવસ્થા)
અને મરણ આદિથી વ્યાપ્ત આ શરીર નિરંતર એટલું સંતાપકારક છે કે સજ્જનોને
તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૬.
(शार्दूलविक्रीडित)
सर्वैस्तीर्थजलैरपि प्रतिदिनं स्नातं न शुद्धं भवेत्
कर्पूरादिविलेपनैरपि सदा लिप्तं च दुर्गन्धभृत्
यत्नेनापि च रक्षितं क्षयपथप्रस्थायि दुःखप्रदं
यत्तस्माद्वपुषः किमन्यदशुभं कष्टं च किं प्राणिनाम्
।।।।
અનુવાદ : જો આ શરીરને પ્રતિદિન સમસ્ત તીર્થોના જળથી પણ સ્નાન
કરાવવામાં આવે તો પણ તે શુદ્ધ થઈ શકતું નથી, જો એને કપૂર અને કુંકુમ આદિ
સુગંધી લેપો દ્વારા લેપ પણ કરવામાં આવે તો પણ તે દુર્ગન્ધ ધારણ કરે છે તથા
જો એનું પ્રયત્નપૂર્વક રક્ષણ પણ કરવામાં આવે તો પણ તે ક્ષયના માર્ગે જ પ્રસ્થાન
કરશે અર્થાત્ નષ્ટ થશે. આ રીતે જે શરીર સર્વ પ્રકારે દુઃખ આપે છે તેનાથી વધારે
પ્રાણીઓને બીજું ક્યું અશુભ અને કષ્ટ હોઈ શકે? અર્થાત્ પ્રાણીઓને સૌથી અધિક
અશુભ અને કષ્ટ આપનાર આ શરીર જ છે, અન્ય કોઈ નથી. ૭.
(शार्दूलविक्रीडित)
भव्या भुरिभवार्जितोदितमहद्द्रङ्मोहसर्पोल्लसन-
मिथ्याबोधविषप्रसंगविकला मन्दीभवद्द्रष्टयः
श्रीमत्पङ्कजनन्दिवक्तशशभृद्विम्बप्रसूतं परं
पीत्वा कर्णपुटेर्भवन्तु सुखिनः स्नानाष्टकाख्यामृतम्
।।।।
અનુવાદ : જે ભવ્ય જીવ અનેક જન્મોમાં ઉપાર્જિત થઈને ઉદયને પ્રાપ્ત થયેલ
અધિકાર૨૫ઃ સ્નાનાષ્ટક ]૩૭૩