Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


Page 374 of 378
PDF/HTML Page 400 of 404

 

background image
એવા દર્શનમોહનીયરૂપ મહાસર્પથી પ્રગટ થયેલ મિથ્યાજ્ઞાનરૂપ વિષના સંસર્ગથી
વ્યાકુળ છે, તથા એ જ કારણે જેમની સમ્યગ્દર્શનરૂપ દ્રષ્ટિ અતિશય મંદ થઈ ગઈ
છે તે ભવ્ય જીવ શ્રીમાન્ પદ્મનન્દિ મુનિના મુખરૂપ ચંદ્રબિંબથી ઉત્પન્ન થયેલ આ
ઉત્કૃષ્ટ ‘સ્નાનાષ્ટક’ નામનું અમૃત કાનવડે પીને સુખી થાવ.
વિશેષાર્થ : જો કોઈ વાર કોઈ પ્રાણીને ઝેરી સર્પ કરડી જાય છે તો તે શરીરમાં ફેલાતા
તેના વિષથી અત્યંત વ્યાકુળ થઈ જાય છે તથા તેની દ્રષ્ટિ (નજર) મંદ પડી જાય છે. સૌભાગ્યવશે
જો તે વખતે ચંદ્રબિંબમાંથી ઉત્પન્ન થયેલ અમૃતની પ્રાપ્તિ થઈ જાય, તો તે તેને પીને વિષરહિત
થયો થકો પૂર્વ ચેતના પ્રાપ્ત કરી લે છે. બરાબર એવી જ રીતે જે પ્રાણી સર્પ સમાન અનેક ભવોમાં
ઉપાર્જિત દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાભાવને પ્રાપ્ત થયેલ જ્ઞાન (મિથ્યાજ્ઞાન) દ્વારા વિવેકશૂન્ય
થઈ ગયા છે તથા જેમનું સમ્યગ્દર્શન મંદ પડી ગયું છે તેઓ જો પદ્મનન્દિ મુનિએ રચેલ આ
‘સ્નાનાષ્ટક’ પ્રકરણ કાનો વડે સાંભળે તો અવિવેક નષ્ટ થઈ જવાથી તેઓ અવશ્યમેવ પ્રબોધ પામે,
કારણ કે આ સ્નાનાષ્ટક પ્રકરણ અમૃત સમાન સુખ આપનાર છે. ૮.
આ રીતે સ્નાનાષ્ટક અધિકાર સમાપ્ત થયો. ૨૫.
૩૭૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ