પર્યાયની પ્રાપ્તિ જ થાય છે જ્યાં ઘણું કરીને હિતાહિતનો કોઈ પણ વિવેક રહેતો નથી. તેથી
શાસ્ત્રકારોએ પરસ્પરના વિરોધ રહિત જ ધર્મ, અર્થ અને કામ – આ ત્રણે પુરુષાર્થોના સેવનનું
વિધાન કર્યું છે. ૨.
(द्रुतविलम्बित)
यदि भवेदबलासु रतिः शुभा किल निजासु सतामिह सर्वथा ।
किमिति पर्वसु सा परिवर्जिता किमिति वा तपसे सततं बुद्धैः ।।३।।
અનુવાદ : જો લોકમાં સજ્જન પુરુષોને પોતાની સ્ત્રીના વિષયમાં પણ
કરવામાં આવતો અનુરાગ શ્રેષ્ઠ લાગતો હોય તો પછી વિદ્વાન્ પર્વ (આઠમ, ચૌદશ
વગેરે) ના દિવસોમાં અથવા તપના નિમિત્તે તેનો નિરંતર ત્યાગ કેમ કરાવેત? અર્થાત્
ન કરાવેત.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે પરસ્ત્રી આદિની સાથે કરવામાં આવતું મૈથુનકર્મ તો
સર્વથા નિન્દનીય છે જ, પરંતુ સ્વસ્ત્રીની સાથે કરવામાં આવતું તે કર્મ નિન્દનીય જ છે. હા, એટલું
જરૂર છે કે તે પરસ્ત્રી આદિની અપેક્ષાએ કાંઈક ઓછું નિન્દનીય છે. એ જ કારણે વિવેકી ગૃહસ્થ
આઠમ – ચૌદસ વગેરે પર્વના દિવસોમાં સ્વસ્ત્રીસેવનનો પણ ત્યાગ કરતા રહે છે તથા મુમુક્ષુ જનો
તો તેનો સર્વથા જ ત્યાગ કરીને તપનું ગ્રહણ કરે છે. ૩.
(द्रुतविलम्बित)
रतिपतेरुदयान्नरयोषितोरशुचिनोर्वपुषोः परिघट्टनात् ।
अशुचि सुष्ठुतरं तदितो भवेत्सुखलवे विदुषः कथमादरः ।।४।।
અનુવાદ : કામ (વેદ)ના ઉદયથી પુરુષ અને સ્ત્રીના અપવિત્ર શરીરો
(જનનેન્દ્રિયો) ઘસાવાથી જે અત્યંત અપવિત્ર મૈથુનકર્મ તથા તેનાથી જે અલ્પ સુખ
થાય છે તેના વિષયમાં ભલા વિવેકી જીવને કેવી રીતે આદર થઈ શકે? અર્થાત્ થઈ
શકતો નથી. ૪.
(द्रुतविलम्बित)
अशुचिनि प्रसभं रतकर्मणि प्रतिशरीरि रतिर्यदपि स्थिता ।
चिदरिमोहविजृभ्भणदूषणादियमहो भवतीति निबोधिता ।।५।।
અનુવાદ : પ્રત્યેક પ્રાણીમાં જે અપવિત્ર મૈથુનકર્મના વિષયમાં બળપૂર્વક
૩૭૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ