અભિપ્રાય એ છે કે જો ઉપર્યુક્ત સામગ્રી હોતાં લોકોનું મન લોકમર્યાદા
છોડીને પરધન અને પરસ્ત્રીમાં આસક્ત થાય છે તો તે બધી સામગ્રી ધિક્કારવા
યોગ્ય છે. ૩૦.
चारुः कामुकया मृगान्तकतया स ब्रह्मदत्तो नृपः
एकैकव्यसनाहता इति जनाः सर्वैर्न को नश्यति
બ્રાહ્મણ તથા પરસ્ત્રીદોષથી રાવણ; આ રીતે એક એક વ્યસનના સેવનથી આ સાતેય
જણ મહાન કષ્ટ પામ્યા છે. તો પછી જે બધા વ્યસનોનું સેવન કરે છે તેનો વિનાશ
કેમ ન થાય? અવશ્ય થાય.
છે. તેમનું વર્ણન આગળ થઈ ગયું છે. એમાંથી કેવળ એક એક વ્યસનમાં જ તત્પર રહેવાથી જે
યુધિષ્ઠિર આદિ મહાન દુઃખ પામ્યા છે, તેમના નામોનો નિર્દેશ માત્ર અહીં કરવામાં આવ્યો છે.
સંક્ષેપમાં તેમની કથા આ રીતે છે.
અને અંબાથી વિદુર ઉત્પન્ન થયા હતા. એમાં ધૃતરાષ્ટ્રને દુર્યોધન આદિ સો પુત્ર તથા પાંડુને
યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ નામના પાંચ પુત્ર હતા. પાંડુ રાજા સ્વર્ગવાસી થયા
પછી કૌરવો અને પાંડવોમાં રાજ્ય નિમિત્તે પરસ્પર વિવાદ થવા લાગ્યો હતો. એક વખત યુધિષ્ઠિર
દુર્યોધન સાથે ધૃતક્રીડા કરવા તૈયાર થયા. તેઓ તેમાં બધી સંપત્તિ હારી ગયા. અંતે તેમણે દ્રૌપદી
આદિને પણ દાવમાં મૂકી અને દુર્યોધને એને પણ જીતી લીધી. તેથી દ્રૌપદીને અપમાનિત થવું પડ્યું
તથા કુંતી અને દ્રૌપદી સાથે પાંચે ભાઈઓને બાર વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું. તે સિવાય તેમને
જુગારના વ્યસનને કારણે બીજા પણ અનેક દુઃખ સહેવા પડ્યા.