મદનો પરિત્યાગ; કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન, ધ્યાન, પ્રમાદ રહિત અવસ્થાન,
સંસાર, શરીર અને ઇન્દ્રિયવિષયોથી વિરક્તિ; ધર્મને વધારનાર અનેક ગુણ, નિર્મળ
રત્નત્રય, તથા અંતે સમાધિમરણ; આ બધા મુનિના ધર્મો છે જે અવિનશ્વર મોક્ષપદના
આનંદ (અવ્યાબાધ સુખ)નું કારણ છે. ૩૮.
संबन्धाय मतिः परे भवति तद्बन्धाय मूढात्मनः
तत्कालादिविनादियुक्ति त इदं तत्त्यागकर्म व्रतम्
કર્મબંધનું કારણ થાય છે. તેથી મહાન પુરુષોએ આ શરીર આદિ સર્વનો ત્યાગ કાળાદિ
વિના પ્રથમ યુક્તિએ કરવો જોઈએ. આ ત્યાગકર્મ વ્રત છે.
બંધ થાય છે અને પછી આનાથી જીવ પરાધીનતાને પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત શુદ્ધ ચૈતન્ય
સ્વરૂપને ઉપાદેય સમજીને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી
કર્મબંધનો અભાવ થઈને જીવને સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. તેથી અહીં એ ઉપદેશ આપવામાં આવ્યો
છે કે જ્યાં સુધી ઉપર્યુક્ત શરીર આદિ રત્નત્રયની પરિપૂર્ણતામાં સહાય કરે છે ત્યાં સુધી જ
મમત્વબુદ્ધિ છોડીને શુદ્ધ આહાર આદિ દ્વારા તેમનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ જ્યારે તે અસાધ્ય
રોગાદિના કારણે ઉક્ત રત્નત્રયની પૂર્ણતામાં બાધક બની જાય છે ત્યારે તેના નાશ થવાના કાળ
આદિની અપેક્ષા ન કરતાં ધર્મની રક્ષા કરતાં સંલ્લેખના વિધિથી તેમનો ત્યાગ કરી દેવો જોઈએ.
એ જ ત્યાગકર્મની વિશેષતા છે. ૩૯.
दण्डो मूलहरो भवत्यविरतं पूजादिकं वाञ्छतः