Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 41-42 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 26 of 378
PDF/HTML Page 52 of 404

 

background image
एकं प्राप्तमरेः प्रहारमतुलं हित्वा शिरच्छेदकं
रक्षत्यङ्गुलिकोटिखण्डनकरं को ऽन्यो रणे बुद्धिमान्
।।४०।।
અનુવાદ : મૂળગુણો છોડીને કેવળ બાકીના ઉત્તરગુણોના પરિપાલનમાં જ પ્રયત્ન
કરનાર તથા નિરંતર પૂજા આદિની ઇચ્છા રાખનાર સાધુનો આ પ્રયત્ન મૂળઘાતક થશે.
કારણ કે ઉત્તર ગુણોમાં દ્રઢતા આ મૂળ ગુણોના નિમિત્તે જ પ્રાપ્ત થાય છે તેથી આ
તેનો પ્રયત્ન એવો છે કે જેમ કોઈ મૂર્ખ સુભટ પોતાના મસ્તકનું છેદન કરનાર શત્રુના
અનુપમ પ્રહારની પરવા ન કરતા કેવળ આંગળીના અગ્રભાગના ખંડન કરનાર પ્રહારથી
જ પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. ૪૦.
(शार्दूलविक्रीडित)
म्लाने क्षालनतः कुतः कृतजलाद्यारम्भतः संयमो
नष्टे व्याकुलचित्तताथ महतामप्यन्यतः प्रार्थनम्
कौपीनेऽपि हृते परैश्च झटिति क्रोधः समुत्पद्यते
तन्नित्यं शुचि रागहृत् शमवतां वस्त्रं ककुम्मण्डलम्
।।४१।।
અનુવાદ : વસ્ત્ર મલિન થતાં તેને ધોવા માટે પાણી, સોડા, સાબુ વગેરેનો
આરંભ કરવો પડે છે અને આ હાલતમાં સંયમનો ઘાત થવો અવશ્યંભાવી છે તે
સિવાય તે વસ્ત્ર નાશ પામતાં મહાન પુરુષોનું મન પણ વ્યાકુળ થઈ જાય છે તેથી
બીજા પાસે તે મેળવવા માટે પ્રાર્થના કરવી પડે છે. જો બીજાઓ દ્વારા કેવળ લંગોટીનું
જ અપહરણ કરવામાં આવે તો ઝટ ક્રોધ ઉત્પન્ન થાય છે. આ જ કારણે મુનિઓ
સદા પવિત્ર અને રાગભાવને દૂર કરનાર દિશાઓના સમૂહરૂપ અવિનશ્વર વસ્ત્ર
(દિગંબરપણા)નો આશ્રય લે છે. ૪૧.
(शार्दूलविक्रीडित)
काकिन्या अपि संग्रहो न विहितः क्षौरं यया कार्यते
चित्तक्षेपकृदस्त्रमात्रमपि वा तत्सिद्धये नाश्रितम्
हिंसाहेतुरहो जटाद्यपि तथा यूकाभिरप्रार्थनैः
वैराग्यादिविवर्धनाय यतिभिः केशेषु लोचः कृतः
।।४२।।
૨૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ