આત્માને જ આત્મામાં ધારણ કરીને તેની ભિન્નતાનું સ્વયં અવલોકન કરે છે. ૪૪.
सुखं वा दुःखं वा पितृवनमहो सौधमथवा
स्फु टं निर्ग्रंथानां द्वयमपि समं शान्तमनसाम्
તથા મરણ અને જીવન; આ ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં સ્પષ્ટપણે સમાનબુદ્ધિ હોય
છે. અભિપ્રાય એ છે કે તેઓ તૃણ અને શત્રુ આદિ અનિષ્ટ પદાર્થોમાં દ્વેષબુદ્ધિ રાખતા
નથી તથા તેમનાથી વિપરીત રત્ન અને મિત્ર આદિ ઇષ્ટ પદાર્થોમાં રાગબુદ્ધિ પણ
રાખતા નથી, પરંતુ બન્નેમાં સમાન સમજે છે. ૪૫.
परपरिचयमीताः क्वापि किंचिच्चरामः
स्वकृतमनुभवामो यत्र तत्रोपविष्टाः
થઈને ક્યાંય પણ (કોઈ શ્રાવકને ત્યાં) કાંઈક ભોજન કરીએ છીએ, અહીં એકાન્ત
સ્થાનમાં નિવાસ કરીએ છીએ, પ્રમાદ કરતા નથી, તથા કોઈ પણ જગ્યાએ રહીને
પોતે કરેલા શુભ અથવા અશુભ કર્મનો અનુભવ કરીએ છીએ. ૪૬.
कति न कति न वारानत्र जातोऽस्मि कीटः