Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 45-47 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 28 of 378
PDF/HTML Page 54 of 404

 

background image
સમભાવ ધારણ કરતાં આત્મા સાથે સંયોગ પામેલ શરીરથી ભિન્ન એક માત્ર
આત્માને જ આત્મામાં ધારણ કરીને તેની ભિન્નતાનું સ્વયં અવલોકન કરે છે. ૪૪.
(शिखरिणी)
तृणं वा रत्नं वा रिपुरथ परं मित्रमथवा
सुखं वा दुःखं वा पितृवनमहो सौधमथवा
स्तुतिर्वा निन्दा वा मरणमथवा जीवितमथ
स्फु टं निर्ग्रंथानां द्वयमपि समं शान्तमनसाम्
।।४५।।
અનુવાદ : જેમનું મન શાન્ત થઈ ગયું છે એવા નિર્ગ્રંથ મુનિઓને ઘાસ અને
રત્ન, શત્રુ અને ઉત્તમ મિત્ર, સુખ અને દુઃખ, સ્મશાન અને મહેલ, સ્તુતિ અને નિંદા
તથા મરણ અને જીવન; આ ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં સ્પષ્ટપણે સમાનબુદ્ધિ હોય
છે. અભિપ્રાય એ છે કે તેઓ તૃણ અને શત્રુ આદિ અનિષ્ટ પદાર્થોમાં દ્વેષબુદ્ધિ રાખતા
નથી તથા તેમનાથી વિપરીત રત્ન અને મિત્ર આદિ ઇષ્ટ પદાર્થોમાં રાગબુદ્ધિ પણ
રાખતા નથી, પરંતુ બન્નેમાં સમાન સમજે છે. ૪૫.
(मालिनी)
वयमिह निजयूथभ्रष्टसारङ्गकल्पाः
परपरिचयमीताः क्वापि किंचिच्चरामः
विजनमिह वसामो न व्रजामः प्रमादं
स्वकृतमनुभवामो यत्र तत्रोपविष्टाः
।।४६।।
અનુવાદ : મુનિ વિચાર કરે છે કે અહીં અમે પોતાના સમૂહમાંથી જુદા પડી
ગયેલા મૃગ જેવા છીએ. તેથી તેની જેમ જ અમે પણ બીજાના પરિચયથી ભયભીત
થઈને ક્યાંય પણ (કોઈ શ્રાવકને ત્યાં) કાંઈક ભોજન કરીએ છીએ, અહીં એકાન્ત
સ્થાનમાં નિવાસ કરીએ છીએ, પ્રમાદ કરતા નથી, તથા કોઈ પણ જગ્યાએ રહીને
પોતે કરેલા શુભ અથવા અશુભ કર્મનો અનુભવ કરીએ છીએ. ૪૬.
(मालिनी)
कति न कति न वारान्भूपतिर्भूरिभूतिः
कति न कति न वारानत्र जातोऽस्मि कीटः
૨૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ