नियतमिति न कस्याप्यस्ति सौख्यं न दुःखं
जगति तरलरूपे किं मुदा किं शुचा वा ।।४७।।
અનુવાદ : હું કેટલીક વાર બહુ સંપત્તિવાન રાજા નથી થયો? અર્થાત્ અનેક
વાર અત્યન્ત વૈભવશાળી રાજા પણ થયો છું. આનાથી ઉલ્ટું કેટલીયે વાર હું તુચ્છ
જંતુ પણ નથી થયો? અર્થાત્ અનેક ભવોમાં હું તુચ્છ જંતુ પણ થઈ ચુક્યો છું. આ
પરિવર્તનશીલ સંસારમાં કોઈને ય ન તો સુખ નિયત છે અને ન દુઃખે ય નિયત
છે. એવી દશામાં હર્ષ અથવા વિષાદ કરવાથી શું લાભ છે? કાંઈ પણ નહિ.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આ પ્રાણી કોઈ વાર તો મહા વૈભવશાળી રાજા થાય છે
અને કોઈ વાર અનેક દુઃખ સહનાર તુચ્છ જંતુ પણ થાય છે. આથી એ નિશ્ચિત છે કે કોઈ પણ પ્રાણી
સદા સુખી અથવા દુઃખી રહી શકતું નથી. પરંતુ કોઈ વાર તે સુખી પણ થાય છે અને કોઈ વાર દુઃખી
પણ એવી અવસ્થામાં વિવેકી મનુષ્ય ન તો સુખમાં રાગ કરે છે અને ન દુઃખમાં દ્વેષ. ૪૭.
(पृथ्वी)
प्रतिक्षणमिदं हृदि स्थितमतिप्रशान्तात्मनो
मुनेर्भवति संवरः परमशुद्धिहेतुर्ध्रुवम् ।
रजः खलु पुरातनं गलति नो नवं ढौकते
ततो ऽतिनिकटं भवेदमृतधाम दुःखोज्झितम् ।।४८।।
અનુવાદ : જેમનો આત્મા અત્યંત શાંત થઈ ગયો છે એવા મુનિના હૃદયમાં
સદાય ઉપર્યુક્ત વિચાર સ્થિત રહે છે. તેથી તેમને અવશ્યમેવ અતિશય વિશુદ્ધિના
કારણરૂપ સંવર થાય છે, જેનાથી નિયમથી પૂર્વકર્મની નિર્જરા થાય છે અને નવા
કર્મનું આગમન પણ થતું નથી. માટે જ ઉક્ત મુનિને દુઃખોથી રહિત અને ઉત્તમ
સુખના સ્થાનભૂત જે મોક્ષપદ છે તે અત્યંત નિકટ થઈ જાય છે. ૪૮.
(शिखरिणी)
प्रबोधो नीरन्ध्रं प्रवहणममन्दं पृथुतपः
सुवायुर्यैः प्राप्तो गुरुगणसहायाः प्रणयिनः ।
कियन्मात्रस्तेषां भवजलधिरेषोऽस्य च परः
कियद्रूरे पारः स्फु रति महतामुद्यमयुताम् ।।४९।।
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૨૯