Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 52-54 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 31 of 378
PDF/HTML Page 57 of 404

 

background image
જ એમ કરે છે, નહિ કે અંતરની પ્રેરણાથી. ૫૧.
(शार्दूलविक्रीडित)
हिंसा प्राणिषु कल्मषं भवति सा प्रारम्भतः सो ऽर्थतः
तस्मादेव भयादयो ऽपि नितरां दीर्घा ततः संसृतिः
तत्रासातमशेषमर्थत इदं मत्वेति यस्त्यक्त वान्
मुक्त्यर्थी पुनरर्थमाश्रितवता तेनाहतः सत्पथः
।।५२।।
અનુવાદ : પ્રાણીઓની હિંસા પાપ ઉત્પન્ન કરે છે, તે હિંસા પ્રકૃષ્ટ આરંભથી
થાય છે, તે આરંભ ધનના નિમિત્તે થાય છે, તે ધનથી જ ભયાદિ ઉત્પન્ન થાય
છે તથા ઉક્ત ભયાદિથી સંસાર અતિશય દીર્ઘ બને છે. આ રીતે આ સમસ્ત દુઃખનું
કારણ ધન જ છે. એમ સમજીને જે મોક્ષાભિલાષી મુનિએ ધનનો પરિત્યાગ કરી
દીધો છે તે જો ફરીથી ઉક્ત ધનનો આશ્રય લે છે તો સમજવું જોઈએ કે તેણે
મોક્ષમાર્ગનો નાશ કર્યો છે. ૫૨.
(शार्दूलविक्रीडित)
दुर्ध्यानार्थमवद्यकारणमहो निर्ग्रन्थताहानये
शय्याहेतु तृणाद्यपि प्रशमिनां लज्जाकरं स्वीकृतम्
यत्तत्किं न गृहस्थयोग्यमपरं स्वर्णादिकं सांप्रतं
निर्ग्रन्थेष्वपि चेत्तदस्ति नितरां प्रायः प्रविष्टः कलिः
।।५३।।
અનુવાદ : જો શય્યાના નિમિત્ત સ્વીકારવામાં આવેલ લજ્જાજનક તૃણ
આદિ પણ મુનિઓને આર્ત-રૌદ્રસ્વરૂપ દુર્ધ્યાન અને પાપનું કારણ હોઈને તેમનું
નિર્ગ્રન્થપણું (નિષ્પરિગ્રહપણું) નષ્ટ કરે છે તો પછી ગૃહસ્થને યોગ્ય અન્ય સુવર્ણ
આદિ શું તે નિર્ગ્રન્થપણાના ઘાતક નહિ થાય? અવશ્ય થશે. વળી જો વર્તમાનમાં
નિર્ગ્રંથ કહેવાતા મુનિઓને પણ ઉપર્યુક્ત ગૃહસ્થ યોગ્ય સુવર્ણ આદિ પરિગ્રહ રહે
છે તો સમજવું જોઈએ કે ઘણું કરીને કળિકાળનો પ્રવેશ થઈ ગયો છે. ૫૩.
(आर्या)
कादचित्को बन्धः क्रोधादेः कर्मणः सदा संगात्
नातः क्वापि कदाचित्परिग्रहग्रहवतां सिद्धि ।।५४।।
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૩૧