तस्मादेव भयादयो ऽपि नितरां दीर्घा ततः संसृतिः
मुक्त्यर्थी पुनरर्थमाश्रितवता तेनाहतः सत्पथः
છે તથા ઉક્ત ભયાદિથી સંસાર અતિશય દીર્ઘ બને છે. આ રીતે આ સમસ્ત દુઃખનું
કારણ ધન જ છે. એમ સમજીને જે મોક્ષાભિલાષી મુનિએ ધનનો પરિત્યાગ કરી
દીધો છે તે જો ફરીથી ઉક્ત ધનનો આશ્રય લે છે તો સમજવું જોઈએ કે તેણે
મોક્ષમાર્ગનો નાશ કર્યો છે. ૫૨.
शय्याहेतु तृणाद्यपि प्रशमिनां लज्जाकरं स्वीकृतम्
निर्ग्रन्थेष्वपि चेत्तदस्ति नितरां प्रायः प्रविष्टः कलिः
નિર્ગ્રન્થપણું (નિષ્પરિગ્રહપણું) નષ્ટ કરે છે તો પછી ગૃહસ્થને યોગ્ય અન્ય સુવર્ણ
આદિ શું તે નિર્ગ્રન્થપણાના ઘાતક નહિ થાય? અવશ્ય થશે. વળી જો વર્તમાનમાં
નિર્ગ્રંથ કહેવાતા મુનિઓને પણ ઉપર્યુક્ત ગૃહસ્થ યોગ્ય સુવર્ણ આદિ પરિગ્રહ રહે
છે તો સમજવું જોઈએ કે ઘણું કરીને કળિકાળનો પ્રવેશ થઈ ગયો છે. ૫૩.