હોઈ શકતું નથી; તેમ ક્રમશઃ ઇન્દ્રિયસુખ કદી સુખ થઈ શકતું નથી, શરીર કદી સ્થિર રહી શકતું
નથી અને આ સંસાર કદી રમણીય હોઈ શકતો નથી. ૫૬.
(मालिनी)
स्मरमपि हृदि येषां ध्यानवह्निप्रदीप्ते
सकलभुवनमल्लं दह्यमानं विलोक्य ।
कृतभिय इव नष्टास्ते कषाया न तस्मिन्
पुनरपि हि समीयुः साधवस्ते जयन्ति ।।५७।।
અનુવાદ : જે મુનિઓના ધ્યાનરૂપી અગ્નિથી પ્રજ્વલિત હૃદયમાં
ત્રિલોકવિજયી કામદેવને પણ બળતો જોઈને જાણે અતિશય ભયભીત થયેલા કષાયો
એવી રીતે નષ્ટ થઈ ગયા કે તેમાં તે ફરીથી પ્રવેશી ન શક્યા, તે મુનિઓ જયવંત
વર્તે છે. ૫૭.
(उपेन्द्रवज्रा)
अनर्ध्यरत्नत्रयसंपदोऽपि निर्ग्रन्थतायाः पदमद्वितीयम् ।
अपि प्रशान्ताः स्मरवैरिवध्वा वैधव्यदास्ते गुरवो नमस्याः ।।५८।।
અનુવાદ : જે ગુરુ અમૂલ્ય રત્નત્રયસ્વરૂપ સંપત્તિયુક્ત હોવા છતાં પણ
નિર્ગ્રંથપણાનું અનુપમ પદ પામ્યા છે તથા જે અત્યંત શાન્ત હોવા છતાં પણ કામદેવરૂપ
શત્રુની પત્નીને વૈધવ્ય પ્રાપ્ત કરાવનાર છે, તે ગુરુ નમસ્કાર કરવા યોગ્ય છે.
વિશેષાર્થ : જે અમૂલ્ય ત્રણ રત્નો સહિત હોય તે નિર્ગ્રંથ (દરિદ્ર) હોઈ શકે નહિ એવી
જ રીતે જે પ્રશાન્ત હોય – ક્રોધાદિ વિકારોથી રહિત હોય – તે શત્રુ પત્નીને વિધવા બનાવી શકે નહિ.
આ રીતે અહીં વિરોધાભાસ પ્રગટ કરીને તેનો પરિહાર કરતાં ગ્રંથકાર એમ બતાવે છે કે જે ગુરુ
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ અનુપમ રત્નત્રયના ધારક થઈને નિર્ગ્રંથ – મૂર્છારહિત
થયા થકા દિગંબરત્વ – અવસ્થાને પ્રાપ્ત થયા છે; તથા જે અશાન્તિના કારણભૂત ક્રોધાદિ કષાયોને
નષ્ટ કરીને કામવાસનાથી રહિત થઈ ગયા છે તે ગુરુઓને નમસ્કાર કરવા જોઈએ. ૫૮.
(शार्दूलविक्रीडित)
ये स्वाचारमपारसौख्यसुतरोर्बीजं परं पञ्चधा ।
सद्बोधाः स्वयमाचरन्ति च परानाचारयन्त्येव च ।
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૩૩