ग्रन्थग्रन्थिविमुक्त मुक्ति पदवीं प्राप्ताश्च यैः प्रापिताः
ते रत्नत्रयधारिणः शिवसुखं कुर्वन्तु नः सूरयः ।।५९।।
અનુવાદ : જે વિવેકી આચાર્ય અપરિમિત સુખરૂપી ઉત્તમ વૃક્ષના બીજભૂત
પોતાના પાંચ પ્રકારના (જ્ઞાન, દર્શન, તપ, વીર્ય અને ચારિત્ર) ઉત્કૃષ્ટ આચારનું સ્વયં
પાલન કરે છે તથા અન્ય શિષ્યાદિકોને પણ પાલન કરાવે છે જે પરિગ્રહરૂપી ગાંઠ
રહિત એવા મોક્ષમાર્ગને સ્વયં પ્રાપ્ત થઈ ચુક્યા છે તથા જેમણે અન્ય
આત્મહિતૈષીઓને પણ ઉક્ત મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તે રત્નત્રયના ધારક આચાર્ય
પરમેષ્ઠી અમને મોક્ષસુખ પ્રદાન કરે. ૫૯.
(वसंततिलका)
भ्रान्तिप्रदेषु बहुवर्त्मसु जन्मकक्षे
पन्थानमेकममृतस्य परं नयन्ति ।
ये लोकमुन्नतधियः प्रणमामि तेभ्यः
तेनाप्यहं जिगमिषुर्गुरुनायकेभ्यः ।।६०।।
અનુવાદ : જે ઉન્નતબુદ્ધિના ધારક આચાર્ય આ જન્મ-મરણ સ્વરૂપ સંસારરૂપી
વનમાં ભ્રાન્તિ ઉત્પન્ન કરનાર અનેક માર્ગ હોવા છતાં પણ બીજા માણસોને કેવળ
મોક્ષના માર્ગે જ લઈ જાય છે તે અન્ય મુનિઓને સન્માર્ગે લઈ જનાર આચાર્યોને
હું પણ તે જ માર્ગે જવાનો ઇચ્છુક હોઈને નમસ્કાર કરું છું. ૬૦.
(शार्दूलविक्रीडित)
शिष्याणामपहाय मोहपटलं कालेन दीर्घेण य –
ज्जातं स्यात्पदलाञ्छितोज्ज्वलवचोदिव्याञ्जनेन स्फु टम् ।
ये कुर्वन्ति द्रशं परामतितरां सर्वावलोकक्षमां
लोके कारणमन्तरेण भिषजास्ते पान्तु नो ऽध्यापकाः ।।६१।।
અનુવાદ : જે લોકમાં અકારણ (નિસ્વાર્થ) વૈદ્ય સમાન હોઈને શિષ્યોના
ચિરકાળથી ઉત્પન્ન થયેલ અજ્ઞાન સમૂહનો નાશ કરીને ‘સ્યાત્’ પદથી ચિહ્નિત અર્થાત્
અનેકાન્તમય નિર્મળ વચનરૂપી દિવ્ય અંજનથી તેમની અત્યંત શ્રેષ્ઠ દ્રષ્ટિને સ્પષ્ટપણે
૩૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ