થયેલી પૃથ્વીની ધૂળ અધિક પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તથા જેમાં નદીઓનાં જળ
સુકાઈ જાય છે તે ગ્રીષ્મ કાળમાં જે મુનિઓ હૃદયમાં અજ્ઞાન અંધકારને નષ્ટ કરનાર
જ્ઞાનજ્યોતિને ધારણ કરીને મહાપર્વતના શિખર ઉપર નિવાસ કરે છે તે મુનિઓ
અમારું કલ્યાણ કરો. ૬૪.
शश्वद्वारिवमद्भिरब्धिविषयक्षारत्वदोषादिव
झञ्झावातविसंस्थुले तरुतले तिष्ठन्ति ये साधवः
જળમાં ડૂબવા લાગે છે, જેમાં પાણીના પ્રબળ પ્રવાહથી પર્વતોના સમૂહ પડવા લાગે
છે, જે વેગથી વહેતી નદીઓથી વ્યાપ્ત હોય છે તથા જે ઝંઝાવાતથી (જળમિશ્રિત
તીક્ષ્ણ વાયુથી) સંયુક્ત હોય છે. એવા તે વર્ષાકાળમાં જે મોક્ષની ઇચ્છાવાળા સાધુઓ
વૃક્ષની નીચે સ્થિત રહે છે તે અમારી રક્ષા કરો. ૬૫.
हर्षद्रोमदरिद्रके हिमऋतावत्यन्तदुःखप्रदे
ध्यानोष्मप्रहतोग्रंशैत्यविधुरास्ते मे विदध्युः श्रियम्
અત્યંત દુઃખ આપનારી શિયાળાની ૠતુમાં વિશાળ તપરૂપી મહેલમાં સ્થિત અને
ધ્યાનરૂપી ઉષ્ણતાથી નષ્ટ કરવામાં આવેલ તીક્ષ્ણ ઠંડીથી રહિત જે સાધુ ચોકમાં સ્થિત
રહે છે તે સાધુઓ મને લક્ષ્મી આપો. ૬૬.