Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 69-71 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 38 of 378
PDF/HTML Page 64 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
स्पृष्टा यत्र मही तद्ङ्घ्रिकमलैस्तत्रैति सत्तीर्थतां
तेभ्यस्ते ऽपि सुराः कृताञ्जलिपुटा नित्यं नमस्कुर्वते
तन्नामस्मृतिमात्रतोऽपि जनता निष्कल्मषा जायते
ये जैना यतयश्चिदात्मनि परं स्नेहं समातन्वते
।।६९।।
અનુવાદ : જે જૈન મુનિ જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્યમય આત્મામાં ઉત્કૃષ્ટ સ્નેહ
કરે છે તેમના ચરણકમળો દ્વારા જ્યાં પૃથ્વીનો સ્પર્શ થાય છે ત્યાંની તે પૃથ્વી ઉત્તમ
તીર્થ બની જાય છે, તેમને બન્ને હાથ જોડીને દેવો પણ નિત્ય નમસ્કાર કરે છે તથા
તેમના નામના સ્મરણમાત્રથી જ જનસમૂહ પાપરહિત થઈ જાય છે. ૬૯.
(शार्दूलविक्रीडित)
सम्यग्दर्शनबोधवृतनिचितः शान्तः शिवैषी मुनि
र्मन्दैः स्यादवधीरितो ऽपि विशदः साम्यं यदालम्बते
आत्मा तैर्विहतो यदत्र विषमध्वान्तश्रिते निश्चितं
संपातो भवितोग्रदुःखनरके तेषामकल्याणिनाम्
।।७०।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રથી સંપન્ન, શાન્ત અને
આત્મકલ્યાણ (મોક્ષ)ના અભિલાષી મુનિ અજ્ઞાનીઓ દ્વારા તિરસ્કૃત થઈને ય સમતા
(વીતરાગતા)નો જ આશ્રય લે છે તેથી તે તો નિર્મળ જ રહે છે પણ તેમ કરવાથી
તે અજ્ઞાનીઓ જ પોતાના આત્માનો ઘાત કરે છે કારણ કે કલ્યાણમાર્ગથી ભ્રષ્ટ થયેલા
તે અજ્ઞાનીઓનું ગાઢ અંધકારથી વ્યાપ્ત અને તીવ્ર દુઃખોથી સંયુક્ત એવા નરકમાં
નિયમથી પતન થશે. ૭૦.
(स्रग्धरा)
मानुष्यं प्राप्य पुण्यात्मप्रशममुपगता रोगवद्भोगजातं
मत्वा गत्वा वनान्तं
द्रशि विदि चरणे ये स्थिताः संगमुक्ताः
कः स्तोता वाक्पथातिक्रमणपटुगुणैराश्रितानां मुनीनां
स्तोतव्यास्ते महद्भिर्भुवि य इह तदङ्घ्रिद्वये भक्ति भाजः
।।७१।।
અનુવાદ : જે મુનિ પુણ્યના પ્રભાવથી મનુષ્ય ભવ પામીને શાન્તિ પામ્યા
૩૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ