Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 72-73 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 39 of 378
PDF/HTML Page 65 of 404

 

background image
થકા ઇન્દ્રિયજનિત ભોગોને રોગ સમાન કષ્ટદાયક સમજી લે છે અને તેથી જે ગૃહથી
વનની મધ્યમાં જઈને સમસ્ત પરિગ્રહથી રહિત થયા થકા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રમાં સ્થિત થઈ જાય છે; વચનઅગોચર એવા ઉત્તમોત્તમ ગુણોના
આશ્રયભૂત તે મુનિઓની સ્તુતિ કરવામાં ક્યો સ્તુતિકાર સમર્થ છે? કોઈ પણ નહિ.
જે મનુષ્યો ઉક્ત મુનિઓના બન્ને ચરણોમાં અનુરાગ કરે છે તે અહીં પૃથ્વી ઉપર
મહાપુરુષો દ્વારા સ્તુતિ કરવાને યોગ્ય છે. ૭૧.
(शार्दूलविक्रीडित)
तत्त्वार्थाप्ततपोभृतां यतिवराः श्रद्धानमाहुद्रर्शं
ज्ञानं जानदनूनमप्रतिहतं स्वार्थावसंदेहवत्
चारित्रं विरतिः प्रमादविलसत्कर्मास्रवाद्योगिनां
एतन्मुक्ति पथस्रयं च परमो धर्मो भवच्छेदकः
।।७२।।
અનુવાદ : આ રીતે મુનિના આચારધર્મનું નિરૂપણ થયું. સાત તત્ત્વ, દેવ
અને ગુરુનું શ્રદ્ધાન કરવું; એને મુનિઓમાં શ્રેષ્ઠ ગણધર આદિ સમ્યગ્દર્શન કહે છે.
સ્વ અને પર પદાર્થ બન્નેની ન્યૂનતા, બાધા અને સંદેહ રહિત થઈને જે જાણે છે
તેને જ્ઞાન કહેવામાં આવે છે. યોગિઓના પ્રમાદથી થતા કર્માસ્રવથી રહિત થઈ જવાનું
નામ ચારિત્ર છે. આ ત્રણે મોક્ષના માર્ગ છે. આ જ ત્રણેને ઉત્તમ ધર્મ કહેવામાં આવે
છે જે સંસારનો વિનાશક થાય છે. ૭૨.
(मालिनी)
हृदयभुवि द्रगेकं बीजमुप्तं त्वशङ्का
प्रभुतिगुणसदम्भःसारणी सिक्त मुच्चैः
भवदवगमशाखश्चारुचारित्र पुष्प
स्तरुरमृतफलेन प्रीणयत्याशु भव्यम् ।।७३।।
અનુવાદ : હૃદયરૂપી પૃથ્વીમાં વાવેલું એક સમ્યગ્દર્શનરૂપી બીજ નિઃશંકિત
આદિ આઠ અંગરવરૂપ ઉત્તમ જળથી પરિપૂર્ણ નાની નદી દ્વારા અતિશય સીંચાઈને
ઉત્પન્ન થયેલી સમ્યગ્જ્ઞાનરૂપી શાખાઓ અને મનોહર સમ્યક્ચારિત્રરૂપી પુષ્પોથી
સંપન્ન થતું થકું વૃક્ષરૂપે પરિણમે છે, જે ભવ્યજીવને તરત જ મોક્ષરૂપી ફળ આપીને
પ્રસન્ન કરે છે. ૭૩.
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૩૯