Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 76-77 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 41 of 378
PDF/HTML Page 67 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૪૧
ભાગવામાં સમર્થ હોવા છતાં પણ કેવળ અવિશ્વાસને કારણે મરે છે, બીજો (આંધળો) માણસ
અગ્નિનું જ્ઞાન ન હોવાથી મૃત્યુ પામે છે, તથા ત્રીજો (લંગડો) માણસ અગ્નિનો વિશ્વાસ કરીને
અને તેને જાણીને પણ ચાલવામાં અસમર્થ હોવાથી જ મૃત્યુના મુખમાં પ્રવેશે છે. તેવી જ રીતે જ્ઞાન
અને ચારિત્રરહિત જે પ્રાણી તત્ત્વાર્થનું કેવળ શ્રદ્ધાન કરે છે, શ્રદ્ધાન અને ચારિત્રથી રહિત જેને એક
માત્ર તત્ત્વાર્થનું પરિજ્ઞાન જ છે અથવા શ્રદ્ધા અને જ્ઞાન રહિત જે જીવ કેવળ ચારિત્રનું જ પરિપાલન
કરે છે; એ ત્રણમાંથી કોઈને પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. તે તો આ ત્રણેની એકતામાં જ
પ્રાપ્ત થઈ શકે છે. ૭૫.
(मालिनी)
बहुभिरपि किमन्यैः प्रस्तरै रत्नसंज्ञै
र्वपुषि जनितखेदैर्भारकारित्वयोगात्
ह्रतदुरिततमोभिश्चारुरत्नैरनर्ध्यै
स्त्रिभिरपि कुरुतात्मालंकृतिं दर्शनाद्यैः ।।७६।।
અનુવાદ : ‘રત્ન’ સંજ્ઞા ધારણ કરનાર અન્ય ઘણા પત્થરોથી શું લાભ?
કારણ કે ભારયુક્ત હોવાથી તેમના દ્વારા કેવળ શરીરમાં ખેદ જ ઉત્પન્ન થાય છે.
તેથી પાપરૂપ અંધકારને નષ્ટ કરનાર સમ્યગ્દર્શનાદિરૂપ અમૂલ્ય ત્રણેય સુંદર રત્નોથી
પોતાના આત્માને વિભૂષિત કરવો જોઈએ. ૭૬.
(मालिनी)
जयति सुखनिधानं मोक्षवृक्षैकबीजं
सकलमलविमुक्तं दर्शनं यद्विना स्यात्
मतिरपि कुमतिर्नु दुश्चरित्रं चरित्रं
भवति मनुजजन्म प्राप्तमप्रातमेव
।।७७।।
અનુવાદ : જે સમ્યગ્દર્શન વિના જ્ઞાન મિથ્યાજ્ઞાન અને ચારિત્ર મિથ્યાચારિત્ર
રહ્યા કરે છે તે સુખના સ્થાનભૂત, મોક્ષરૂપી વૃક્ષના અદ્વિતીય બીજરૂપ તથા સમસ્ત
દોષરહિત સમ્યગ્દર્શન જયવંત વર્તે છે. ઉક્ત સમ્યગ્દર્શન વિના પ્રાપ્ત થયેલો મનુષ્ય
જન્મ પણ નહિ પ્રાપ્ત થવા બરાબર જ રહે છે. [કારણ કે મનુષ્ય જન્મની સફળતા
સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ હોઈ શકે છે, પણ તેને તો પ્રાપ્ત કર્યું નથી.] ૭૭.