Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 78-80 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 42 of 378
PDF/HTML Page 68 of 404

 

background image
૪૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
(आर्या)
भवभुजगनागदमनी दुःखमहादावशमनजलवृष्टिः
मुक्ति सुखामृतसरसी जयति द्रगादित्रयी सम्यक् ।।७८।।
અનુવાદ : જે સમ્યગ્દર્શન આદિ ત્રણ રત્ન સંસારરૂપી સર્પનું દમન કરવા
માટે નાગદમની સમાન છે, દુઃખરૂપી દાવાનળને શાન્ત કરવા માટે જળવૃષ્ટિ સમાન
છે તથા મોક્ષસુખરૂપ અમૃતના તળાવ સમાન છે; તે સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્ન સારી
રીતે જયવંત વર્તે છે. ૭૮.
(मालिनी)
वचनविरचितैवोत्पद्यते भेदबुद्धि
द्रर्गवगमचरित्राण्यात्मनः स्वं स्वरूपम्
अनुपचरितमेतच्चेतनैंकस्वभावं
व्रजति विषयभावं योगिनां योग
द्रष्टेः ।।७९।।
અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે આત્માના
પોતાના સ્વરૂપ છે. આમાં જે ભિન્નતાની બુદ્ધિ થાય છે તે કેવળ શબ્દજનિત જ હોય
છે
વાસ્તવમાં તે ત્રણે અભિન્ન જ છે. આત્માનું આ સ્વરૂપ ઉપચારરહિત અર્થાત્
પરમાર્થભૂત અને ચેતના જ છે એક સ્વભાવ જેનો એવું થયું થકું યોગીજનોની યોગરૂપ
દ્રષ્ટિના વિષયપણાને પામે છે અર્થાત્ તેનું અવલોકન યોગીઓ જ પોતાની યોગદ્રષ્ટિથી
કરી શકે છે. ૭૯.
(उपेन्द्रवज्रा)
निरूप्य तत्त्वं स्थिरतामुपागता
मतिः सतां शुद्धनयावलम्बिनी
अखण्डमेकं विशदं चिदात्मकं
निरन्तरं पश्यति तत्परं महः
।।८०।।
અનુવાદ : શુદ્ધનયનો આશ્રય લેનારી સાધુઓની બુદ્ધિ તત્ત્વનું નિરૂપણ કરીને
સ્થિરતાને પામતી થકી નિરંતર, અખંડ, એક, નિર્મળ અને ચેતનસ્વરૂપ તે ઉત્કૃષ્ટ
જ્યોતિનું જ અવલોકન કરે છે. ૮૦.