बन्धः संसारमेवं श्रुतनिपुणधियः साधवस्तं वदन्ति
સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થવાને સમ્યક્ચારિત્ર કહે
છે. આ ત્રણે એક સાથે ઉત્પન્ન થઈને બંધનો વિનાશ કરે છે. બાહ્ય રત્નત્રય કેવળ
બાહ્ય પદાર્થો (જીવાજીવાદિ)ને જ વિષય કરે છે અને તેનાથી શુભ અથવા અશુભ
કર્મનો બંધ થાય છે જે સંસાર પરિભ્રમણનું જ કારણ છે. આ રીતે આગમના જાણકાર
સાધુઓ નિરૂપણ કરે છે.
તે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. તેમના સ્વરૂપને જાણવાનું નામ વ્યવહાર સમ્યગ્જ્ઞાન છે. અશુભ
ક્રિયાઓનો પરિત્યાગ કરીને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્ત થવાને વ્યવહાર સમ્યક્ચારિત્ર કહેવાય છે.
દેહાદિથી ભિન્ન આત્મામાં રુચિ થવાનું નામ નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે જ દેહાદિથી ભિન્ન આત્માના
સ્વરૂપના અવબોધને નિશ્ચય સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. આત્મસ્વરૂપમાં લીન રહેવાને નિશ્ચય
સમ્યક્ચારિત્ર કહે છે. એમાં વ્યવહાર રત્નત્રય શુભ અને અશુભ કર્મોના બંધનું કારણ હોવાથી સ્વર્ગાદિ
અભ્યુદયનું નિમિત્ત થાય છે. પરંતુ નિશ્ચય રત્નત્રય શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મોના બંધને
નષ્ટ કરીને મોક્ષસુખનું કારણ થાય છે. ૮૧.
शिवपथपथिकानां सत्सहायत्वमेति