અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૪૫
मध्यस्थस्त्वेवमेवाखिलमिह जगज्जायतां सौख्यराशिः
मत्तो माभूदसौख्यं कथमपि भविनः कस्यचित्पूत्करोमि ।।८५।।
અનુવાદ : જો દુર્જન મનુષ્ય મારા દોષો જાહેર કરીને સુખી થતો હોય તો
થાવ, જો ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ કરીને સુખી થતો હોય તો
થાવ. જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો બીજા કોઈ
મારું સ્થાન લઈને સુખી થતા હોય તો થાવ અને જે મધ્યસ્થ છે – રાગદ્વેષરહિત છે –
તે એવા જ મધ્યસ્થ બની રહે. અહીં આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો.
મારા નિમિત્તે કોઈ પણ સંસારી પ્રાણીને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાવ, એમ હું
ઊંચા સ્વરે કહું છું. ૮૫.
(शार्दूलविक्रीडित)
कि जानासि न वीतरागमखिलत्रैलोक्यचूडामणिं
किं तद्धर्म समाश्रितं न भवता किं वा न लोको जडः ।
मिथ्याद्रग्भिरसज्जनैरपटुभिः किंचित्कृतोपद्रवात्
यत्कर्मार्जनहेतुमस्थिरतया बाधां मनो मन्यसे ।।८६।।
અનુવાદ : હે મન! શું તું સમ્પૂર્ણ ત્રણે લોકમાં ચૂડામણિ સમાન એવા શ્રેષ્ઠ
વીતરાગ જિનને નથી જાણતું? શું તેં વીતરાગકથિત ધર્મનો આશ્રય નથી લીધો? શું
જડસમૂહ જડ અર્થાત્ અજ્ઞાની નથી? કે જેથી તું મિથ્યાદ્રષ્ટિ અને અજ્ઞાની દુષ્ટ પુરુષો
દ્વારા કરવામાં આવેલા થોડાક ઉપદ્રવોથી પણ વિચલિત થઈને બાધા સમજે છે કે
જે કર્માસ્રવનું કારણ છે. ૮૬.
(वसंततिलका)
धर्माङ्गमेतदिह मार्दवनामधेयं
जात्यादिगर्वपरिहारमुशन्ति सन्तः ।
तद्धार्यते किमु न बोधद्रशा समस्तं
स्वप्नेन्द्रजालसद्रशं जगदीक्षमाणैः ।।८७।।
અનુવાદ : જાતિ અને કુળ આદિનો ગર્વ ન કરવો, એને સજ્જન પુરુષો માર્દવ