૪૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
નામનો ધર્મ બતાવે છે. એ ધર્મનું અંગ છે. જ્ઞાનમય ચક્ષુથી સમસ્ત જગતને સ્વપ્ન
અથવા ઇન્દ્રજાળ સમાન દેખનાર સાધુઓ શું તે માર્દવ ધર્મ ધારણ નથી કરતા?
અવશ્ય ધારણ કરે છે. ૮૭.
(शार्दूलविक्रीडित)
कास्था सद्मनि सुन्दरेऽपि परितो दन्दह्यमानाग्निभिः
कायादौ तु जरादिभिः प्रतिदिनं गच्छत्यवस्थान्तरम् ।
इत्यालोचयतो हृदि प्रशमिनः शश्वद्विवेकोज्ज्वले
गर्वस्यावसरः कुतो ऽत्र घटते भावेषु सर्वेष्वपि ।।८८।।
અનુવાદ : સર્વ તરફથી અતિશય સળગતી અગ્નિઓથી ખંડેરરૂપ બીજી
અવસ્થાને પ્રાપ્ત થનાર સુન્દર ગૃહ સમાન પ્રતિદિન વૃદ્ધત્વ આદિ દ્વારા બીજી
(જીર્ણ ) અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ બાહ્ય પદાર્થોમાં નિત્યતાનો વિશ્વાસ કેવી
રીતે કરી શકાય? અર્થાત્ કરી શકાતો નથી. આ રીતે સર્વદા વિચારનાર સાધુના
વિવેકયુક્ત નિર્મળ હૃદયમાં જાતિ, કુળ અને જ્ઞાન આદિ સર્વ પદાર્થોના વિષયમાં
અભિમાન કરવાનો અવસર કયાંથી પ્રાપ્ત થઈ શકે? અર્થાત્ પ્રાપ્ત થઈ શકતો
નથી. ૮૮.
(आर्या)
हृदि यत्तद्वाचि बहिः फलति तदेवार्जवं भवत्येतत् ।
धर्मो निकृतिरधर्मो द्वाविह सुरसद्मनरकपथौ ।।८९।।
અનુવાદ : જે વિચાર હૃદયમાં રહ્યો હોય તે જ વચનમાં રહે તથા તે જ
બહાર પરિણમે અર્થાત્ શરીર વડે પણ તે પ્રમાણે જ કાર્ય કરવામાં આવે, તે આર્જવ
ધર્મ છે. એનાથી વિપરીત બીજાને દગો દેવો, એ અધર્મ છે. આ બંને અહીં ક્રમશઃ
દેવગતિ અને નરકગતિના કારણ છે. ૮૯.
(शार्दूलविक्रीडित)
मायित्वं कुरुते कृतं सकृदपि च्छायाविघातं गुणे –
ष्वाजातेर्यमिनोऽर्जितेष्विह गुरुक्लेशैः समादिष्वलम् ।