Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 100-101 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 51 of 378
PDF/HTML Page 77 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૫૧
માર ખાઈને નાશ પામે છે. તેથી જ તપ અને ધર્મરૂપ લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષ
નગરીના માર્ગે સર્વ પ્રકારના વિઘ્ન-બાધાઓથી રહિત થઈને સુખેથી ગમન કરે છે.
વિશેષાર્થ : જેમ ચોરોનો સમુદાય માર્ગમાં ચાલતા પથિક જનોના ધનનું અપહરણ
કરીને તેમને આગળ જવામાં બાધા પહોંચાડે છે તેવી જ રીતે ક્રોધાદિ કષાયો અને પંચેન્દ્રિય
વિષય-ભોગ મોક્ષમાર્ગે ચાલનાર સત્પુરુષોના સમ્યગ્દર્શનાદિરૂપ ધનનું અપહરણ કરીને તેમને
આગળ જવામાં બાધક થાય છે. ઉપર્યુક્ત ચોરોનો સમુદાય જેમ કોઈ શક્તિશાળી સુભટથી પીડિત
થઈને જ્યાં ત્યાં નાસી જાય છે તેવી જ રીતે તપ દ્વારા તે વિષય કષાયો પણ નષ્ટ કરાય છે.
તેથી ચોર ન રહેવાથી જેમ પથિક જન નિરુપદ્રવ થઈને માર્ગમાં ગમન કરે છે તેવી જ રીતે
વિષય કષાયોનો નાશ થવાથી સમ્યગ્દર્શનાદિ ગુણોથી સંપન્ન સાધુઓ પણ નિર્બાધપણે મોક્ષમાર્ગે
ગમન કરે છે. ૯૯.
(मन्दाक्रान्ता)
मिथ्यात्वादेर्यदिह भविता दुःखमुग्रं तपोभ्यो
जातं तस्मादुदककणिकैकेव सर्वाब्धिनीरात्
स्तोकं तेन प्रभवमखिलं कृच्छ्लब्धे नरत्वे
यद्येतर्हि स्खलति तदहो का क्षतिर्जीव ते स्यात्
।।१००।।
અનુવાદ : લોકમાં મિથ્યાત્વ આદિના નિમિત્તે જે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું
છે તેની અપેક્ષાએ તપથી ઉત્પન્ન થતું દુઃખ એટલું અલ્પ હોય છે જેટલું સમુદ્રના
સંપૂર્ણ જળની અપેક્ષાએ તેનું એક ટીપું હોય છે. તે તપથી બધું જ ( સમતા આદિ)
પ્રગટે છે. તેથી હે જીવ! કઠિનાઈથી પ્રાપ્ત થતી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થતા છતાં પણ
જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે તો તને કેટલી હાનિ થશે એ જાણે છે? અર્થાત્
તે અવસ્થામાં તારું સર્વસ્વ નષ્ટ થઈ જશે. ૧૦૦.
(शार्दूलविक्रीडित)
व्याख्या यत् क्रियते श्रुतस्य यतये यद्दीयते पुस्तकं
स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा
स त्यागो वपुरादिनिर्ममतया नो किंचनास्ते यते-
राकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां संमतः
।।१०१।।
અનુવાદ : સદાચારી પુરુષ દ્વારા મુનિને જે પ્રેમપૂર્વક આગમનું વ્યાખ્યાન