નગરીના માર્ગે સર્વ પ્રકારના વિઘ્ન-બાધાઓથી રહિત થઈને સુખેથી ગમન કરે છે.
વિષય-ભોગ મોક્ષમાર્ગે ચાલનાર સત્પુરુષોના સમ્યગ્દર્શનાદિરૂપ ધનનું અપહરણ કરીને તેમને
આગળ જવામાં બાધક થાય છે. ઉપર્યુક્ત ચોરોનો સમુદાય જેમ કોઈ શક્તિશાળી સુભટથી પીડિત
થઈને જ્યાં ત્યાં નાસી જાય છે તેવી જ રીતે તપ દ્વારા તે વિષય કષાયો પણ નષ્ટ કરાય છે.
તેથી ચોર ન રહેવાથી જેમ પથિક જન નિરુપદ્રવ થઈને માર્ગમાં ગમન કરે છે તેવી જ રીતે
વિષય કષાયોનો નાશ થવાથી સમ્યગ્દર્શનાદિ ગુણોથી સંપન્ન સાધુઓ પણ નિર્બાધપણે મોક્ષમાર્ગે
ગમન કરે છે. ૯૯.
जातं तस्मादुदककणिकैकेव सर्वाब्धिनीरात्
यद्येतर्हि स्खलति तदहो का क्षतिर्जीव ते स्यात्
સંપૂર્ણ જળની અપેક્ષાએ તેનું એક ટીપું હોય છે. તે તપથી બધું જ ( સમતા આદિ)
પ્રગટે છે. તેથી હે જીવ! કઠિનાઈથી પ્રાપ્ત થતી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થતા છતાં પણ
જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે તો તને કેટલી હાનિ થશે એ જાણે છે? અર્થાત્
તે અવસ્થામાં તારું સર્વસ્વ નષ્ટ થઈ જશે. ૧૦૦.
स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा
राकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां संमतः