પણ આપવામાં આવે છે તેને ઉત્તમ ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. શરીર આદિમાં
મમત્વબુદ્ધિ ન રહેવાથી મુનિની પાસે જે કિંચિત માત્ર પણ પરિગ્રહ રહેતો નથી તેનું
નામ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. સજ્જન પુરુષોને ઇચ્છિત તે ધર્મ સંસારનો નાશ
કરનાર છે. ૧૦૧.
गृहादि त्यक्त्वा ये विदधति तपस्तेऽपि विरलाः
सहायाः स्युर्ये ते जगति यतयो दुर्लभतराः
છે અર્થાત્ બહુ થોડા છે. વળી જે મુનિ સ્વયં તપશ્ચરણ કરતાં થકાં અન્ય મુનિને
પણ શાસ્ત્રાદિ આપીને તેમને મદદ કરે છે તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની
અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. ૧૦૨.
वपुःपुस्ताद्यास्ते तदपि निकटं चेदिति मतिः
जिनेन्द्राज्ञाभङ्गो भवति च हठात्कल्मषमृषेः
અને પુસ્તકાદિ તેમની પાસે રહે છે તો એવી અવસ્થામાં તે નિષ્પરિગ્રહી કેવી રીતે
કહી શકાય. જો એવી અહીં આશંકા કરવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે તેમને
જોકે ઉક્ત શરીર અને પુસ્તકાદિ પ્રત્યે કોઈ મમત્વભાવ રહેતો નથી તેથી જ તેઓ
વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન સમાન જ છે. હા, જો ઉક્ત મુનિને તેમના પ્રત્યે