Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 102-103 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 52 of 378
PDF/HTML Page 78 of 404

 

background image
૫૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
કરવામાં આવે છે, પુસ્તક આપવામાં આવે છે તથા સંયમના સાધનભૂત પીંછી આદિ
પણ આપવામાં આવે છે તેને ઉત્તમ ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. શરીર આદિમાં
મમત્વબુદ્ધિ ન રહેવાથી મુનિની પાસે જે કિંચિત માત્ર પણ પરિગ્રહ રહેતો નથી તેનું
નામ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. સજ્જન પુરુષોને ઇચ્છિત તે ધર્મ સંસારનો નાશ
કરનાર છે. ૧૦૧.
(शिखरिणि)
विमोहा मोक्षाय स्वहितनिरताश्चारुचरिताः
गृहादि त्यक्त्वा ये विदधति तपस्तेऽपि विरलाः
तपस्यन्तो ऽन्यस्मिन्नपि यमिनि शास्त्रादि ददतः
सहायाः स्युर्ये ते जगति यतयो दुर्लभतराः
।।१०२।।
અનુવાદ : મોહ રહિત, પોતાના આત્મહિતમાં લવલીન અને ઉત્તમ ચારિત્રથી
સંયુક્ત જે મુનિઓ મોક્ષપ્રાપ્તિ માટે ઘર આદિ છોડીને તપ કરે છે તે પણ વિરલ
છે અર્થાત્ બહુ થોડા છે. વળી જે મુનિ સ્વયં તપશ્ચરણ કરતાં થકાં અન્ય મુનિને
પણ શાસ્ત્રાદિ આપીને તેમને મદદ કરે છે તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની
અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. ૧૦૨.
(शिखरिणी)
परं मत्वा सर्वं परिह्रतमशेषं श्रुतविदा
वपुःपुस्ताद्यास्ते तदपि निकटं चेदिति मतिः
ममत्वाभावे तत्सदपि न सदन्यत्र घटते
जिनेन्द्राज्ञाभङ्गो भवति च हठात्कल्मषमृषेः
।।१०३।।
અનુવાદ : આગમના જાણકાર મુનિએ સમસ્ત બાહ્ય વસ્તુઓને પર અર્થાત્
આત્માથી ભિન્ન જાણીને તે બધાનો ત્યાગ કરી દીધો છે. છતાં પણ જ્યારે શરીર
અને પુસ્તકાદિ તેમની પાસે રહે છે તો એવી અવસ્થામાં તે નિષ્પરિગ્રહી કેવી રીતે
કહી શકાય. જો એવી અહીં આશંકા કરવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે તેમને
જોકે ઉક્ત શરીર અને પુસ્તકાદિ પ્રત્યે કોઈ મમત્વભાવ રહેતો નથી તેથી જ તેઓ
વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન સમાન જ છે. હા, જો ઉક્ત મુનિને તેમના પ્રત્યે