Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 104-105 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 53 of 378
PDF/HTML Page 79 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૫૩
મમત્વભાવ હોય તો પછી તે નિષ્પરિગ્રહી કહી શકાતા નથી. અને એવી અવસ્થામાં
તેને સમસ્ત પરિગ્રહના ત્યાગરૂપ જિનેન્દ્ર આજ્ઞાનો ભંગ કરવાનો દોષ પ્રાપ્ત થાય
છે કે જેથી તેને બળપૂર્વક પાપબંધ થાય છે. ૧૦૩.
(स्रग्धरा)
यत्संगाधारमेतश्चलति लघु च यत्तीक्ष्णदुःखौघधारं
मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृतिभ्रान्ति संसारचक्रम्
ता नित्यं यन्मुमुक्षुर्यतिरमलमतिः शान्तमोहः प्रपश्ये-
ज्जामीः पुत्रीःसवित्रीरिव हरिण
द्रशस्तत्परं ब्रह्मचर्यम् ।।१०४।।
અનુવાદ : જે તીવ્ર દુઃખોના સમૂહરૂપ ધારા સહિત છે, જેના પ્રભાવથી પ્રાણી
માટીના પિંડાની જેમ ઘૂમે છે અને જે અનેક વિકાર રૂપ ભ્રમ કરનાર છે એવું આ
સંસારરૂપી ચક્ર જે સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે તે મૃગ સમાન નેત્રવાળી
સ્ત્રીઓને, મોહને ઉપશાન્ત કરનાર, મોક્ષના અભિલાષી, નિર્મળ બુદ્ધિવાળા મુનિ સદા
બહેન, દીકરી અને માતા સમાન જુઓ. એ જ ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે.
વિશેષાર્થઃઅહીં સંસારમાં ચક્રનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે આ કારણેજેમ
ચક્ર (કુંભારનો ચાકડો) ખીલીના આધારે ચાલે છે તેવી જ રીતે આ સંસારચક્ર (સંસાર પરિભ્રમણ)
સ્ત્રીઓના આધારે ચાલે છે. ચક્રમાં જો તીક્ષ્ણ ધાર હોય તો આ સંસાર ચક્રમાં જે અનેક દુઃખોનો
સમૂહ રહે છે તે જ તેની તીક્ષ્ણ ધાર છે. કુંભારના ચાકડા ઉપર જેમ માટીનો પિંડો પરિભ્રમણ
કરે છે તેમ આ સંસારચક્ર ઉપર સમસ્ત દેહધારી પ્રાણીઓ પરિભ્રમણ કરે છે. જેમ કુંભારનો ચાકડો
ઘૂમતા ઘૂમતા માટીના પિંડામાંથી અનેક વિકારો
શકોરૂ, ઘડો, કુંડુ વગેરેને ઉત્પન્ન કરે છે તેવી જ
રીતે આ સંસારચક્ર પણ અનેક વિકારોજીવની નરનારકાદિરૂપ પર્યાયોને ઉત્પન્ન કરીને તેમને ઘુમાવે
છે. તાત્પર્ય એ છે કે સંસારપરિભ્રમણના કારણભૂત સ્ત્રીઓ છે તેમના વિષયનો અનુરાગ છે. તે
સ્ત્રીઓને અવસ્થાવિશેષ પ્રમાણે માતા, બહેન અને દીકરી સમાન સમજીને તેમના પ્રત્યે અનુરાગ ન
કરવો એ બ્રહ્મચર્ય છે જે તે સંસારચક્રથી જીવોની રક્ષા કરે છે. ૧૦૪.
(मालिनी)
अविरतमिह तावत्पुण्यभाजो मनुष्याः
ह्रदि विरचितरागाः कामिनीनां वसन्ति
कथमपि न पुनस्ता जातु येषां तदङ्घ्री
प्रतिदिनमतिनम्रास्ते ऽपि नित्यं स्तुवन्ति
।।१०५।।