Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 106-107 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 54 of 378
PDF/HTML Page 80 of 404

 

background image
૫૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
અનુવાદ : લોકમાં પુણ્યવાન પુરુષો રાગ ઉત્પન્ન કરીને નિરંતર સ્ત્રીઓના
હૃદયમાં નિવાસ કરે છે. એ પુણ્યવાન પુરુષો પણ, જે મુનિઓના હૃદયમાં તે સ્ત્રીઓ
કદી અને કોઈ પ્રકારે પણ રહેતી નથી તે મુનિઓના ચરણની પ્રતિદિન અત્યંત નમ્ર
બનીને નિત્ય સ્તુતિ કરે છે. ૧૦૫.
(स्रग्धरा)
वैराग्यत्यागदारुद्वयकृतरचना चारुनिश्रेणिका यैः
पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञान
द्रष्टेः
योग्या स्यादारुरुक्षोः शिवपदसदनं गन्तुमित्येषु केषां
नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु हृष्टिः
।।१०६।।
અનુવાદ : વૈરાગ્ય અને ત્યાગરૂપ બે લાકડાથી બનાવેલી સુન્દર નિસરણી
જે દસ મહાન સ્થિર પગથિયાવાળી હોઈને મોક્ષ-મહેલમાં જવા માટે ચડવાની
અભિલાષા રાખનાર મુનિઓને માટે યોગ્ય છે. ત્રણલોકના અધિપતિઓ (ઇન્દ્ર,
ધરનેન્દ્ર અને ચક્રવર્તી ) દ્વારા સ્તૂયમાન તે દસ ધર્મોના વિષયમાં ક્યા પુરુષોને હર્ષ
ન થાય? ૧૦૬.
(शार्दूलविक्रीडित)
निःशेषामलशीलसद्गुणमयीमत्यन्तसाम्यस्थितां
वन्दे तां परमात्मनः प्रणयिनीं कृत्यान्तगां स्वस्थताम्
यत्रानन्तचतुष्टयामृतसरित्यात्मानमन्तर्गतं
न प्राप्नोति जरादिदुःखहशिखः संसारदावानलः
।।१०७।।
અનુવાદ : જે સ્વસ્થતા નિર્મળ સમસ્ત શીલ અને સમીચીન ગુણોથી
રચાયેલી છે, અત્યંત સમતાભાવ ઉપર સ્થિત છે તથા કાર્યના અંતને પ્રાપ્ત કરીને
કૃતકૃત્ય થઈ ચુકી છે; તે પરમાત્માની પ્રિયાસ્વરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું.
અનંત ચતુષ્ટયરૂપ અમૃતની નદી સમાન તે સ્વસ્થતામાં સ્થિત આત્માને વૃદ્ધત્વ
આદિરૂપ દુઃસહ જ્વાળાઓથી સંયુક્ત એવા સંસારરૂપી દાવાનલ (જંગલની આગ)
પ્રાપ્ત થતો નથી. ૧૦૭.