Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 119-120 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 59 of 378
PDF/HTML Page 85 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૫૯
मुग्धास्तत्र पतन्ति तानपि वरानास्थाय वाञ्छन्त्यहो
हा कष्टं परजन्मने ऽपि न विदः क्कापीति धिङ्मूर्खताम्
।।११८।।
અનુવાદઃસુભટ મોહરૂપી પારધીએ સંસારરૂપી વનમાં મૂર્ખજનરૂપી
મૃગોને બન્ધન- જનિત આપત્તિમાં ધકેલવા માટે સર્વત્ર કમળ સમાન નેત્રોવાળી
સ્ત્રી આદિ વિષયરૂપી જાળો તૈયાર કરી લીધી છે. આ મૂર્ખ પ્રાણી તે ઇન્દ્રિય
વિષયરૂપી જાળમાં ફસાઈ જાય છે અને તે વિષય ભોગોને ઉત્તમ અને સ્થાયી
સમજીને પરલોકમાં પણ તેમની ઇચ્છા કરે છે, એ ઘણા ખેદની વાત છે. પરંતુ
વિદ્વાન્ પુરુષ તેમની અભિલાષા આ લોક અને પરલોકમાંથી ક્યાંય પણ કરતા
નથી. તે મૂર્ખતાને ધિક્કાર છે. ૧૧૮.
(शार्दूलविक्रीडित)
एतन्मोहढकप्रयोगविहितभ्रान्तिभ्रमच्चक्षुषा
पश्यत्येेष जनो ऽसमञ्जसमसद्बुधिर्ध्रुवं व्यापदे
अप्येतान् विषयाननन्तनरकक्लेशप्रदानस्थिरान्
यत् शश्वत्सुखसागरानिव सतश्चेतःप्रियान् मन्यते
।।११९।।
અનુવાદ : આ દુર્બુદ્ધિ મનુષ્ય મોહરૂપી ઠગના પ્રયોગથી કરવામાં આવેલી
ભ્રાન્તિથી ભ્રમિત થયેલી આંખો દ્વારા આ વિષયસુખને વિપરીત દેખે છે અર્થાત્ તે
દુઃખદાયક વિષયસુખને સુખદાયક માને છે. પરંતુ વાસ્તવમાં તે નિશ્ચયથી આપત્તિજનક
જ છે. જે આ વિષયભોગ નરકમાં અનંત દુઃખ આપનાર અને અસ્થિર છે તેમને
તે સર્વદા ચિત્તને પ્રિય લાગનારા સુખના સમુદ્ર સમાન માને છે. ૧૧૯.
(शार्दूलविक्रीडित)
संसारे ऽत्र घनाटवीपरिसरे मोहष्ठकः कामिनी-
क्रोधाद्याश्च तदीयपेटकमिदं तत्संनिधौ जायते
प्राणी तद्बिहितप्रयोगविकलस्तद्वश्यतामागतो
न स्वं चेतयते लभेत विपदं ज्ञातुः प्रभोः कथ्यताम्
।।१२०।।
અનુવાદ : સઘન વનની અંત્ય ભૂમિ સમાન આ સંસારમાં મોહરૂપ ઠગ
વિદ્યમાન છે. સ્ત્રી અને ક્રોધાદિ કષાયો તેની પેટી સમાન છે અર્થાત્ તેઓ તેના પ્રબળ