Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 121-123 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 60 of 378
PDF/HTML Page 86 of 404

 

background image
૬૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
સહાયક છે. કારણ કે એ તેના (મોહના) રહેવાથી જ રહે છે. ઉક્ત મોહદ્વારા કરવામાં
આવેલા પ્રયોગથી વ્યાકુળ થયેલ પ્રાણી તેને વશ થઈને પોતાના આત્મસ્વરૂપનો વિચાર
કરતા નથી, તેથી તે વિપત્તિને પ્રાપ્ત થાય છે. તે મોહરૂપ ઠગથી પ્રાણીની રક્ષા કરનાર
જ્ઞાતા પ્રભુ (સર્વદા) છે તેથી જ તે જ્ઞાતા પ્રભુની જ પ્રાર્થના કરવી. ૧૨૦.
(शार्दूलविक्रीडित)
ऐश्वर्यादिगुणप्रकाशनतया मूढा हि ये कुर्वते
सर्वेषां टिरिटिल्लितानि पुरतः पश्यन्ति नो ब्यापदः
विद्युल्लोलमपि स्थिरं परमपि स्वं पुत्रदारादिकं
मन्यन्ते यदहो तदत्र विषमं मोहप्रभोः शासनम्
।।१२१।।
અનુવાદ : જે મૂર્ખજનો પોતાના ઐશ્વર્ય આદિ ગુણો પ્રકટ કરવાના વિચારથી
અન્ય સર્વ મનુષ્યોની ઠેકડી ઉડાડ્યા કરે છે તેઓ ભવિષ્યમાં આવનારી આપત્તિઓને
જોતા નથી. આશ્ચર્ય છે કે જે પુત્ર અને પત્ની આદિ વિજળી સમાન ચંચળ (અસ્થિર)
છે તેમને તે લોકો સ્થિર માને છે તથા પ્રત્યક્ષ પર (ભિન્ન) દેખાવા છતાં તેમને સ્વકીય
સમજે છે આ મોહરૂપી રાજાનું વિષમ શાસન છે. ૧૨૧.
(शिखरणी)
क्व यामः किं कुर्मः कथमिह सुखं किं च भविता
कुतो लभ्या लक्ष्मीः क इह नृपतिः सेव्यत इति
विकल्पानां जालं जडयति मनः पश्यत सतां
अपि ज्ञातार्थनामिह महदहो मोहचरितम्
।।१२२।।
અનુવાદ : અમે ક્યાં જઈએ, શું કરીએ, અહીં સુખ કેવી રીતે પ્રાપ્ત થઈ
શકે? અને શું થશે? લક્ષ્મી ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? એના માટે ક્યા રાજાની સેવા
કરવી? ઇત્યાદિ વિકલ્પોનો સમૂહ અહીં તત્ત્વજ્ઞ સજ્જન પુરુષોના મનને પણ જડ
બનાવી દે છે, એ શોચનીય છે. આ બધી મોહની મહાલીલા છે. ૧૨૨.
(शिखरिणी)
विहाय व्यामोहं धनसदनतन्वादिविषये
कुरुध्वं तत्तूर्णं किमपि निजकार्यं ऐबत बुधाः