Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 130-131 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 64 of 378
PDF/HTML Page 90 of 404

 

background image
૬૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
(शार्दूलविक्रीडित)
अज्ञो यद्भवकोटिभिः क्षपयति वं कर्म तस्माद्बहु
स्वीकुर्वन् कृतसंवरः स्थिरमना ज्ञानी तु तत्तत्क्षणात्
तीक्ष्णक्लेशहयाश्रितो ऽपि हि पदं नेष्टं तपःस्यन्दनो
नेयं तन्नयति प्रभुं स्फु टतरज्ञानैकसूतोज्झितः
।।१३०।।
અનુવાદ : અજ્ઞાની જીવ પોતાના જે કર્મ કરોડો જન્મોમાં નષ્ટ કરે છે તથા
તેનાથી અનેક ગણા ગ્રહણ કરે છે તેને જ્ઞાની જીવ સ્થિરચિત્ત થઈને સંવરને પ્રાપ્ત
થતા થકા તત્ક્ષણ અર્થાત્ ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે. તે યોગ્ય જ છે
તીક્ષ્ણ ક્લેશરૂપી
ઘોડાનો આશ્રય લેવા છતાં પણ તપરૂપી રથ જો અતિશય નિર્મળ જ્ઞાનરૂપી અદ્વિતીય
સારથી વિનાનો હોય તો તે પોતાના લઈ જવા યોગ્ય પ્રભુ (આત્મા અને રાજા) ને
ઇષ્ટ સ્થાને લઈ જઈ શકતો નથી.
વિશેષાર્થ : જેમ અનુભવી સારથી (ચલાવનાર) વિના શીઘ્રગામી ઘોડા દ્વારા ખેંચાતો
રથ પણ તેમાં બેઠેલા રાજા આદિને પોતાના ઇષ્ટ સ્થાને પહોંચાડી શકતો નથી તેવી જ રીતે
સમ્યગ્જ્ઞાન વિના કરવામાં આવેલું તપ દુઃસહ કાયકલેશોથી સંયુક્ત હોવા છતાં પણ આત્માને
મોક્ષપદમાં પહોંચાડી શકતું નથી. એ જ કારણે જે કર્મો અજ્ઞાની જીવ કરોડો ભવોમાં પણ નષ્ટ
કરી શકતો નથી તેમનો સમ્યક્જ્ઞાની જીવ ક્ષણમાત્રમાં જ નાશ કરી નાખે છે. એનું કારણ એ છે
કે અજ્ઞાની જીવને નિર્જરાની સાથો સાથ નવા કર્મોનો આસ્રવ પણ થયા કરે છે, તેથી તે કર્મરહિત
થઈ શકતો નથી. પરંતુ એનાથી ઉલ્ટું જ્ઞાની જીવને જ્યાં નવા કર્મનો આસ્રવ અટકી જાય છે ત્યાં
પૂર્વસંચિત કર્મની નિર્જરા પણ થાય છે. તેથી જ તે શીઘ્ર કર્મોથી રહિત થઈ જાય છે. ૧૩૦.
(स्रग्धरा)
कर्माब्धौ तद्विचित्रोदयलहरिभरव्याकुले व्यापदुग्र-
भ्राम्यन्नक्रादिकीर्णे मृतिजननलसद्वाडवावर्तगर्ते
मुक्त : शक्त या हताङ्गः प्रतिगति स पुमान् मज्जनोन्मज्जनाभ्या
मप्राप्य ज्ञानपोतं तदनुगतजडः पारगामी कथं स्यात् ।।१३१।।
અનુવાદ : જે કર્મરૂપી સમુદ્ર પોતાના વિવિધ પ્રકારના ઉદયરૂપી લહરીઓના
ભારથી વ્યાપ્ત છે, આપત્તિઓ રૂપ આમ તેમ ઘૂમતા મહાન્ મગર આદિ
જળજંતુઓથી પરિપૂર્ણ છે, તથા મૃત્યુ અને જન્મરૂપી વડવાગ્નિ અને વમળના ખાડારૂપ