स्वीकुर्वन् कृतसंवरः स्थिरमना ज्ञानी तु तत्तत्क्षणात्
नेयं तन्नयति प्रभुं स्फु टतरज्ञानैकसूतोज्झितः
થતા થકા તત્ક્ષણ અર્થાત્ ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે. તે યોગ્ય જ છે
સારથી વિનાનો હોય તો તે પોતાના લઈ જવા યોગ્ય પ્રભુ (આત્મા અને રાજા) ને
ઇષ્ટ સ્થાને લઈ જઈ શકતો નથી.
સમ્યગ્જ્ઞાન વિના કરવામાં આવેલું તપ દુઃસહ કાયકલેશોથી સંયુક્ત હોવા છતાં પણ આત્માને
મોક્ષપદમાં પહોંચાડી શકતું નથી. એ જ કારણે જે કર્મો અજ્ઞાની જીવ કરોડો ભવોમાં પણ નષ્ટ
કરી શકતો નથી તેમનો સમ્યક્જ્ઞાની જીવ ક્ષણમાત્રમાં જ નાશ કરી નાખે છે. એનું કારણ એ છે
કે અજ્ઞાની જીવને નિર્જરાની સાથો સાથ નવા કર્મોનો આસ્રવ પણ થયા કરે છે, તેથી તે કર્મરહિત
થઈ શકતો નથી. પરંતુ એનાથી ઉલ્ટું જ્ઞાની જીવને જ્યાં નવા કર્મનો આસ્રવ અટકી જાય છે ત્યાં
પૂર્વસંચિત કર્મની નિર્જરા પણ થાય છે. તેથી જ તે શીઘ્ર કર્મોથી રહિત થઈ જાય છે. ૧૩૦.
भ्राम्यन्नक्रादिकीर्णे मृतिजननलसद्वाडवावर्तगर्ते
જળજંતુઓથી પરિપૂર્ણ છે, તથા મૃત્યુ અને જન્મરૂપી વડવાગ્નિ અને વમળના ખાડારૂપ