Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 136-137 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 68 of 378
PDF/HTML Page 94 of 404

 

background image
૬૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
આવ્યો છે’ ઇત્યાદિ પ્રકારનો સંદેહ ઘણું કરીને આત્માના વિષયમાં થયા કરે છે આ સંદેહ દૂર કરતાં
ંઅહીં એમ બતાવ્યું છે કે જે કોઈનેય ઉપર્યુક્ત સંદેહ થાય છે, વાસ્તવમાં તે જ આત્મા છે કારણ
કે એવો વિકલ્પ શરીર આદિ જડ પદાર્થને થઈ શકતો નથી. તે તો
‘अहम् अहम्’ અર્થાત્ હું જાણું
છું, હું અમુક કાર્ય કરૂં છું; એ રીતે ‘હું હું’ એ ઉલ્લેખથી પ્રતીતિમાં આવતા ચેતન આત્માને જ
થઈ શકે છે. એટલું અવશ્ય છે કે જ્યાં સુધી મિથ્યાત્વ આદિ અશુભ કર્મોનો ઉદય રહે છે ત્યાં
સુધી જીવને ઉપર્યુક્ત ભ્રાંતિ રહી શકે છે. ત્યાર પછી તે તપશ્ચરણાદિ દ્વારા જ્ઞાનાવરણાદિને નષ્ટ
કરીને પોતાના સ્વભાવાનુસાર અખિલ પદાર્થોનો જ્ઞાતા (સર્વજ્ઞ) બની જાય છે. ૧૩૫.
(शार्दूलविक्रीडित)
आत्मा मूर्तिविवर्जितो ऽपि वपुषि स्थित्वापि दुर्लक्षतां
प्राप्तोऽपि स्फु रति स्फु टं यदहमित्युल्लेखतः संततम्
तत्किं मुह्यत शासनादपि गुरोर्भ्रान्तिः समुत्सृज्यता-
मन्तः पश्यत निश्चलेन मनसा तं तन्मुखाक्षव्रजाः
।।१३६।।
અનુવાદ : આત્મા મૂર્તિ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ ) રહિત હોવા છતાં પણ
શરીરમાં સ્થિતિ હોવા છતાં પણ તથા અદ્રશ્ય અવસ્થાને પ્રાપ્ત હોવા છતાં પણ નિરંતર
‘अहम्’ અર્થાત્ ‘હું’ આ ઉલ્લેખથી સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે. એવી અવસ્થામાં
હે ભવ્ય જીવો! તમે આત્મોન્મુખ ઇન્દ્રિય સમૂહથી સંયુક્ત થઈને કેમ મોહને પ્રાપ્ત
થાવ છો? ગુરુની આજ્ઞાથી પણ ભ્રમ છોડો અને અભ્યંતરમાં નિશ્ચળ મનથી તે
આત્માનું અવલોકન કરો. ૧૩૬.
(शार्दूलविक्रीडित)
व्यापी नैव शरीर एव यदसावात्मा स्फु रत्यन्वहं
भूतानन्वयतो न भूतजनितो ज्ञानी प्रकृत्या यतः
नित्ये वा क्षणिके ऽथवा न कथमप्यर्थक्रिया युज्यते
तत्रैकत्वमपि प्रमाण
द्रढया भेदप्रतीत्याहतम् ।।१३७।।
અનુવાદ : આત્મા વ્યાપક નથી જ કારણ કે તે નિરંતર શરીરમાં જ
પ્રતિભાસિત થાય છે. તે ભૂતોથી ઉત્પન્ન પણ નથી કેમકે તેની સાથે ભૂતોનો અન્વય
જોવામાં આવતો નથી તથા તે સ્વભાવથી જ્ઞાતા પણ છે. તેને સર્વથા નિત્ય અથવા
ક્ષણિક સ્વીકારવાથી તેમાં કોઈ પ્રકારે અર્થ ક્રિયા બની શકતી નથી. તેમાં એકત્વ પણ