પદાર્થ સદા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત રહે છે. જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘટમાં
માટીરૂપ પૂર્વપર્યાયનો વ્યય, ઘટરૂપ નવીન પર્યાયનો ઉત્પાદ તથા પુદ્ગલ દ્રવ્ય ઉક્ત બન્નેય
અવસ્થામાં ધ્રુવ સ્વરૂપે સ્થિત રહે છે. ૧૩૮.
निक्षेपकादिभिरभिश्रयतैकचित्ताः
ગંભીર આ સંસારરૂપ સમુદ્રથી પાર થવાની ઇચ્છા રાખતા હો તો પછી એકાગ્રચિત્ત
થઈને ઉપર્યુક્ત આત્માનો આશ્રય કરો.
કહેવામાં આવે છે. તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદથી બે પ્રકારના છે. જે દ્રવ્યની મુખ્યતાથી
વસ્તુને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક તથા જે પર્યાયની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે
પર્યાયાર્થિકનય કહેવાય છે. એમાં દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે
તે શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહનય કહેવાય છે. એનાથી વિપરીત જે પર્યાયની પ્રધાનતાથી બે આદિ અનંત
ભેદરૂપ વસ્તુને ગ્રહણ કરે છે તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહારનય કહેવામાં આવે છે. જે સંગ્રહ અને
વ્યવહાર આ બન્નેય નયોના પરસ્પર ભિન્ન બન્ને (અભેદ અને ભેદ) વિષયોને ગ્રહણ કરે છે તેનું
નામ નૈગમનય છે. પર્યાયાર્થિક નય ચાર પ્રકારનો છે
તે ૠજુસૂત્રનય છે. જે લિંગ, સંખ્યા (વચન), કાળ, કારક અને પુરુષ (ઉત્તમાદિ) આદિનો
વ્યભિચાર દૂર કરીને વસ્તુનું ગ્રહણ કરે છે તેને શબ્દનય કહે છે. લિંગવ્યભિચાર
શબ્દનયની દ્રષ્ટિએ અગ્રાહ્ય નથી. જે એક જ અર્થ શબ્દભેદથી અનેક રૂપે ગ્રહે છે તેને શબ્દનય
કહે છે. જેમ એક જ વ્યક્તિ ઇન્દન (શાસન) ક્રિયાના નિમિત્તે ઇન્દ્ર, શકન (સામર્થ્યરૂપ) ક્રિયાથી