झटिति शिवसुखार्थी यत्नतस्तौ जहीहि
છે. તે કર્મબંધરૂપ દોષ નિશ્ચયથી રાગ અને દ્વેષના નિમિત્તે થાય છે. તેથી મોક્ષસુખનો
અભિલાષી થઈને તું સર્વપ્રથમ શીઘ્રતાથી પ્રયત્નપૂર્વક તે બન્નેને છોડી દે. ૧૪૦.
संबन्धस्तेन सार्घं तदसति सति वा तत्र कौ रोषतोषौ
देवंनिश्चित्य हंस स्वबलमनुसर स्थायि मा पश्य पार्श्वम्
ભોગવવું પડે છે. તમારો તે લોક સાથે ભલા શું સંબંધ છે? અર્થાત્ કાંઈ પણ નથી.
તો પછી લોક ન હોય તો વિષાદ અને તે હોય તો હર્ષ શા માટે કરો છો? એવી
જ રીતે શરીરમાં રાગદ્વેષ ન કરવો જોઈએ, કેમ કે તે જડ (અચેતન) છે. તથા શરીર
સાથે સંબંધવાળા ઇન્દ્રિયવિષય ભોગજનિત સુખાદિકમાં પણ તમારે રાગ-દ્વેષ કરવો
ઉચિત નથી, કેમ કે તે વિનશ્વર છે. આ રીતે નિશ્ચય કરીને તમે તમારી સ્થિર
આત્મશક્તિનું અનુસરણ કરો. તે નિકટવર્તી લોકને સ્થાયી ન સમજો.
વિયોગમાં ખેદખિન્ન થવું યોગ્ય નથી. બીજું તો શું કહીએ? જે શરીર સદા આત્માની સાથે
જ રહે છે તેનો પણ સંબંધ આત્મા સાથે કાંઈ પણ નથી; કારણ કે આત્મા ચેતન છે અને
શરીર અચેતન છે. સ્પર્શનાદિ ઇન્દ્રિયોનો સંબંધ પણ તે જ શરીર સાથે છે, નહિ કે તે ચેતન
આત્મા સાથે. ઇન્દ્રિયવિષયભોગોથી ઉત્પન્ન થનારૂં સુખ વિનશ્વર છે