Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 100 of 660
PDF/HTML Page 121 of 681

 

background image
૧૦૦ આઠમું પર્વ પદ્મપુરાણ
ત્યજીને ભૂમિગોચરીને પરણી. આવા વિચારથી તે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે રાજા
શુક્રધનુએ હરિષેણને કહ્યું કે હું યુદ્ધમાં જાઉં છું અને તમે નગરમાં રહો, દુરાચારી વિદ્યાધર
યુદ્ધ કરવા આવ્યા છે. તે વખતે હરિષેણ સસરાને કહેવા લાગ્યા કે જે બીજાના કાર્ય માટે
પણ ઉદ્યમ કરે તે પોતાના કામ માટે કેમ ન કરે? તેથી હે પૂજ્ય! મને આજ્ઞા આપો. હું
યુદ્ધ કરીશ. સસરાએ તેમને અનેક પ્રકારે રોકવા પ્રયત્ન કર્યો, પણ તે ન રોકાયા. વિવિધ
પ્રકારનાં હથિયારોથી સજ્જ થઈને પવનવેગી અશ્વો જોડેલા રથમાં તે ચડયા. તેમની
પાછળ મોટા મોટા વિદ્યાધરો ચાલ્યા. કેટલાક હાથી ઉપર, કેટલાક અશ્વો ઉપર અને
કેટલાક રથોમાં બેઠા. પરસ્પર મહાન યુદ્ધ થયું. શક્રધનુની થોડીક ફોજ પાછી હઠી ત્યારે
હરિષેણ પોતે યુદ્ધ કરવા તત્યર થયા. તેમણે જે તરફ રથ ચલાવ્યો તે તરફ ઘોડા, હાથી
મનુષ્ય, રથ કોઈ ટકી શક્યું નહિ. બધા બાણથી વીંધાઈ ગયા. ધ્રૂજતા ધ્રૂજતા બધા યુદ્ધ
છોડીને ભાગ્યા અને બોલવા લાગ્યા કે ગંગાધર રાજાએ ભૂંડું કર્યું કે આવા મહાપુરુષ સાથે
યુદ્ધ કર્યું. આ સાક્ષાત્ સૂર્ય સમાન છે. જેમ સૂર્ય પોતાનાં કિરણો ફેલાવે છે તેમ આ
બાણોની વર્ષા કરે છે. પોતાની ફોજને હઠતી જોઈને ગંગાધર મહિધર ભાગ્યો અને
ત્યારપછી ક્ષણમાત્રમાં રત્ન ઉત્પન્ન થયાં. દસમા ચક્રવર્તી મહાપ્રતાપ ધારણ કરીને પૃથ્વી
ઉપર પ્રગટ થયા. જોકે તેમણે ચક્રવર્તીની વિભૂતિ મેળવી પણ, પરંતુ પોતાની સ્ત્રીરત્ન
મદનાવલિને પરણવાની ઈચ્છાથી તે બાર યોજન પ્રમાણ પોતાનું સૈન્ય સાથે લઈને
રાજાઓને હંફાવતા તપસ્વીના વન સમીપે આવ્યા. તાપસ વનફળ લઈને આવી મળ્‌યા.
તેણે પહેલાં આમનો અનાદર કર્યો હતો, પણ એમને અતિવિવેકી અને પુણ્યાધિકારી
જાણીને ખૂબ આનંદ પામ્યા. શતમન્યુના પુત્ર જનમેજય ને મદનાવલીની માતા
નાગમતીએ મદનાવલીને ચક્રવર્તી સાથે વિધિપૂર્વક પરણાવી. પછી પોતે ચક્રવર્તીના
વિભૂતિ સહિત કાંપિલ્યનગરમાં આવ્યા. બત્રીસ હજાર મુગટબંધ રાજાઓ સાથે આવીને
માતાના ચરણારવિંદમાં હાથ જોડી નમસ્કાર ર્ક્યા. માતા વપ્રા આવા પુત્રને જોઈને એવી
હર્ષિત થઈ કે જે તેના અંગમાં હર્ષ સમાતો નહોતો. પછી જ્યારે અષ્ટાન્હિકા આવી ત્યારે
તેણે સૂર્યથી પણ અધિક મનોજ્ઞ ભગવાનનો રથ કાઢયો અને અષ્ટાન્હિકાની યાત્રા કરી.
મુનિ અને શ્રાવકોને પરમ આનંદ થયો. ઘણા જીવોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આ
હરિષેણ ચક્રવર્તીની કથા સુમાલીએ રાવણને કહી અને ઉમેર્યું કે તે ચક્રવર્તીએ જિન
ભગવાનનાં મંદિરો આ પૃથ્વી ઉપર સર્વત્ર પુર, ગ્રામ, પર્વત અને નદી-તટો પર
બનાવરાવ્યાં છે તે બધાં રત્ન અને સ્વર્ણમયી છે. તે મહાપુરુષ ઘણો કાળ ચક્રવર્તીની
સંપદા ભોગવી પછી મુનિ થઈ, મહાતપ કરી લોકશિખરે બિરાજ્યા. રાવણ આ હરિષેણનું
ચરિત્ર સાંભળીને આનંદ પામ્યો. સુમાલીની વારંવાર સ્તુતિ કરી અને જિનમંદિરોનાં દર્શન
કરી પોતાના તંબૂમાં આવ્યા. તે સંઘ સમ્મેદશિખરની પાસે આવ્યો.
રાવણને દિગ્વિજયમાં ઉદ્યમી જોઈને જાણે સૂર્ય પણ પોતાની તેજસ્વીતારહિત થયો; તેની
અરુણતા પ્રગટ થઈ; જાણે કે રાવણના અનુરાગથી જગત હર્ષિત થયું. સંધ્યા વીતી ગઈ, રાત્રિનો
અંધકાર ફેલાઈ ગયો, જાણે કે અંધકાર જ પ્રકાશના ભયથી દશમુખને શરણે આવ્યો. રાત્રિ વ્યતીત