છૂટવા માટે તરફડે છે અને હૃદયમાં એવા ભાવ નિરંતર વહેવા લાગે છે કે પૂર્વોપાર્જિત કર્મોએ
જ્યારે મહાપુરુષોને પણ છોડયા નથી તો પછી આપણે કઈ ગણતરીમાં છીએ? આવા ભાવ વડે જ
મનુષ્ય આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે. માટે સંસારની સ્થિતિનું યથાર્થ ચિત્રણ કરનાર પુણ્યપાપનું
ફળ પ્રત્યક્ષ દેખાડનાર, મહર્ષિઓએ રચેલા મહાપુરુષોના ચરિત્રોનું અધ્યયન કરવું જોઈએ.
થોડો અંશ જોઈએ-મેં આ પ્રાણ સુખમાં વીતાવ્યા છે તેથી થોડા દિવસો રાજ્યનું સુખ ભોગવી,
કલ્યાણનું કારણ એવું તપ પછી કરીશ. આ કામ-ભોગ દુર્નિવાર છે, એનાથી જે પાપ થશે તે
ધ્યાનરૂપ અગ્નિ વડે ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. ઈત્યાદિ મનોરથ કરતો ભામંડળ સેંકડો વર્ષ
એક મુહૂર્તની પેઠે ગાળવા લાગ્યો. આ કર્યુ, એ કરૂં, આમ કરીશ, આવું ચિંત્વન કરતાં આયુષ્યના
અંતને જાણી શક્યો નહિ. એક દિવસ સાતમાળના મહેલની ઉપર સુંદર શય્યા પર સૂતો હતો ત્યાં
તેના પર વીજળી પડી અને તે તત્કાળ મૃત્યુ પામ્યો.
ક્ષણભંગુર સુખ નિમિત્તે દુર્બુધ્ધિ આત્મહિત કરતો નથી. વિષય વાસનાથી લુબ્ધ બનીને અનેક
પ્રકારના વિકલ્પો કર્યા કરે છે જે કર્મબંધના કારણ છે. ધન, યૌવન, જીવન બધું અસ્થિર છે. જે
તેમને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરે છે તે ભવસાગરમાં ડૂબતો
નથી. અને વિષયાભિલાષી જીવ ભવમાં કષ્ટ સહન કરે છે. હજારો શાસ્ત્ર વાંચવા છતા શાંતિ ન
થઈ તો શો ફાયદો? અને એકજ પદથી શાંતિ પ્રાપ્ત થાય તો તે પ્રશંસવા યોગ્ય છે. જે જાતજાતના
અશુભ ઉદ્યમોથી વ્યાકુળ છે તેમનું આયુષ્ય નકામું વીતે છે જેમ હાથમાં આવેલું રત્ન જતું રહે છે
તેમ. આમ જાણીને સર્વ લૌકિક કાર્યોને નિરર્થક જાણીને દુઃખરૂપ ઈંદ્રિયના સુખોનો ત્યાગ કરી
પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો.
જૈનોમાં અને ખાસ કરીને દિગંબરોમાં આ પદ્મપુરાણનો ખૂબજ પ્રચાર છે. દિ. જૈનોનું ભાગ્યે જ
કોઈ એવું મંદિર