Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 111 of 660
PDF/HTML Page 132 of 681

 

background image
પદ્મપુરાણ નવમું પર્વ ૧૧૧
“અહો, આ તે તારું કેવું તપ કે હજી પણ અભિમાન ન છૂટયું અને મારા ચાલતા
વિમાનને રોક્યું? ક્યાં ઉત્તમ ક્ષમારૂપ વીતરાગનો ધર્મ અને ક્યાં પાપરૂપ ક્રોધ? તું
નકામી મહેનત કરે છે, તું અમૃત અને વિષને એક કરવા ઈચ્છે છે માટે હું તારો ગર્વ દૂર
કરીશ. તારા સહિત કૈલાસ પર્વતને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઈશ.” આવાં કઠોર વચન
બોલીને રાવણે વિકરાળ રૂપ કર્યું. તેણે જે વિદ્યાઓ સાધી હતી તેની અધિષ્ઠાતા દેવી
ચિંતવનમાત્રમાં હાજર થઈ. તે વિદ્યાના બળથી રાવણે મહાન રૂપ બનાવ્યું. તે ધરતીને
ભેદીને પાતાળમાં પેઠો. મહાપાપમાં ઉદ્યમી, પ્રચંડ ક્રોધથી લાલ નેત્ર કરી, મુખેથી હુંકાર
કરી, ભુજાઓ વડે કૈલાસ પર્વત ઉખાડવાનો પ્રયત્ન કર્યો. તે વખતે સિંહ, હસ્તિ, સર્પ,
હરણ અને અનેક જાતિના પક્ષી ભયથી કોલાહલ કરવા લાગ્યા, પાણીના ઝરા તૂટી થયા
અને પાણી પડવા લાગ્યું, વૃક્ષો તૂટી પડ્યાં, પર્વતની શિલા અને પાષાણ પડવા લાગ્યા.
તેના વિકરાળ અવાજથી દશે દિશાઓમાંથી કૈલાસ પર્વત હલવા લાગ્યો, જે દેવ ત્યાં ક્રીડા
કરતા હતા તે આશ્ચર્ય પામ્યા, દશે દિશાઓમાં જોવા લાગ્યા, જે અપ્સરાઅ્રો લતાઓના
મંડપમાં કેલિ કરતી હતી તે લતા છોડીને આકાશમાં ગમન કરવા લાગી. ભગવાન
વાલીએ આ રાવણનું કર્તવ્ય જાણીને પોતે કાંઈ ખેદ ન પામ્યા, જેમ નિશ્ચળપણે ઊભા
હતા તેમ ને તેમ રહ્યા. મનમાં એવો વિચાર કર્યો કે આ પર્વત પર ભગવાનનાં
અતિઉત્તુંગ, રત્નમયી ચૈત્યાલયો ભરત ચક્રવર્તીનાં બનાવડાવેલાં છે, જ્યાં સુર, અસુર,
વિદ્યાધરો નિરંતર પૂજા-ભક્તિ કરવા આવે છે તેમાં તિરાડ ન પડે અને અહીં અનેક જીવ
વિચરે છે તેને બાધા ન પહોંચે એવા વિચારથી પોતાના પગનો અંગૂઠો ધીમેથી દબાવ્યો.
આથી રાવણ મહાભારથી આક્રાંત થઈ દબાઈ ગયો. અનેક રૂપ બનાવ્યાં હતાં તે તૂટી
ગયાં, દુઃખ અને વ્યાકુળતાથી આંખોમાંથી લોહી ટપકવા માંડયું, મુગટ તૂટી ગયો, માથું
ભીંજાઈ ગયું, પર્વત બેસી ગયો અને રાવણના ગોઠણ છોલાઈ ગયા, જાંઘ પણ છોલાઈ
ગઈ, તત્કાળ પરસેવાથી રેબઝેબ થઈ ગયો, ધરતી પરસેવાથી ભીની થઈ ગઈ, રાવણનાં
ગાત્ર સંકોચાઈ ગયાં, કાચબા જેવા થઈ ગયા ત્યારે રોવા લાગ્યો. તે જ કારણે પૃથ્વી
ઉપર રાવણ કહેવાયો. અત્યાર સુધી તે દશાનન કહેવાતો હતો. એના અત્યંત દીન શબ્દ
સાંભળીને તેની રાણી અત્યંત વિલાપ કરવા લાગી અને મંત્રી, સેનાપતિ સહિત સર્વ
સુભટ પહેલાં તો ભ્રમથી વૃથા યુદ્ધ કરવા તૈયાર થયા. પછી આ મુનિનો અતિશય જોઈને
સર્વ આયુધ નીચે મૂકી દીધાં, મુનિના કાયબળઋદ્ધિના પ્રભાવથી દેવદુંદુભિ વાગવાં લાગ્યાં
અને કલ્પવૃક્ષોનાં ફૂલોની વૃષ્ટિ થઈ, આકાશમાં દેવદેવી નૃત્ય કરવા લાગ્યાં, ગીતની ધ્વનિ
થવા લાગ્યો. પછી મહામુનિએ દયા કરીને અંગૂઠો ઢીલો કર્યો.
રાવણે પર્વત નીચેથી નીકળીને, વાલી મુનિની સમીપ આવી નમસ્કાર કરી ક્ષમા
માગી, જેણે તપનું બળ જાણ્યું હતું એવો તે યોગીશ્વરની વારંવાર સ્તુતિ કરવા લાગ્યોઃ હે
નાથ! આપે ઘરમાંથી જ એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું જિનેન્દ્ર, મુનીન્દ્ર અને જિનશાસન
સિવાય બીજા કોઈને પણ પ્રણામ નહિ કરું. એ બધું આપના સામર્થ્યનું ફળ છે. અહો,
ધન્ય છે આપનો નિશ્ચય