વિરાજતા ચારણમુનિને જોયા. તેમણે પલ્યંકાસન ધર્યું હતું, તેમના શ્વાસોચ્છવાસ નિશ્ચળ
હતા, નાકની અણી પર તેમની દ્રષ્ટિ હતી, શરીર થાંભલાની જેમ સ્થિર હતું, ખોળામાં
ડાબા હાથ જમણા હાથ પર મૂકેલો હતો, સમુદ્ર સમાન ગંભીર, અનેક ઋદ્ધિસંયુક્ત,
આત્મસ્વરૂપ, જેવું જિનશાસનમાં બતાવ્યું છે તેવું ધ્યાનમાં લેતા, પવન જેવા અસંગ,
આકાશ જેના નિર્મળ, જાણે કે પહાડનું શિખર જ હોય તેવા તેમને બન્નેએ જોયા. એ
બન્ને મુનિની સમીપમાં આવી. તેમનું બધું દુઃખ ભુલાઈ ગયું. ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ
જોડી નમસ્કાર કર્યા. મુનિ પરમ બાંધવ મળ્યા. જે સમયે જેની પ્રાપ્તિ થવાની હોય તે
થાય. મુનિનાં ચરણારવિંદ તરફ પોતાનાં અશ્રુપાતરહિત સ્થિર નેત્ર કરી, એ બન્ને હાથ
જોડી વિનંતી કરવા લાગીઃ હે ભગવાન! હે કલ્યાણરૂપ! હે ઉત્તમ ચેષ્ટાના ધારક! આપનું
શરીર કુશળ છે? આપનો દેહ તો સર્વ વ્રતતપ સાધવાનું મૂળ કારણ છે. હે ગુણસાગર!
જેમને ઉપરાઉપરી તપની વૃદ્ધિ થઈ રહી છે, હે ક્ષમાવાન! શાંતભાવના ધારક! મન-
ઇન્દ્રિયના વિજેતા! આપનો વિહાર જીવોના કલ્યાણના નિમિત્તે જ છે, આપના જેવા પુરુષ
તો સર્વ જીવોના કુશળનું કારણ છે તેથી આપની કુશળતા શું પૂછવી? પરંતુ પૂછવાનો
શિષ્ટાચાર છે એટલે પૂછી છે. આમ કહીને વિનયથી નમ્રીભૂત થયેલ શરીરવાળી ચૂપ થઈ
ગઈ અને મુનિના દર્શનથી તેમનો સર્વ ભય ચાલ્યો ગયો.
ભોગવે છે. જુઓ કર્મની વિચિત્રતા, આ રાજા મહેન્દ્રની પુત્રીને વિના અપરાધે કુટુંબના
લોકોએ કાઢી મૂકી છે. મુનિ મહાજ્ઞાની છે, કહ્યા વિના જ બધી વાતો જાણનારા છે. તેમને
નમસ્કાર કરીને વસંતમાલા પૂછવા લાગી-હે નાથ! કયા કારણથી આના પતિ એનાથી
ઘણા દિવસ સુધી ઉદાસ રહ્યા? એ કયા કારણે અનુરાગી થયા તથા મહાસુખયોગ્ય આ
અંજના વનમાં કયા કારણથી આટલું દુઃખ પામી? એના ગર્ભમાં ક્યો મંદભાગી જીવ
આવ્યો છે કે જેનાથી આને જીવવાની પણ શંકા પડી? ત્યારે ત્રણ જ્ઞાનના ધારક
અમિતગતિ સ્વામી સર્વ વૃત્તાંત યથાર્થપણે કહેવા લાગ્યા. મહાપુરુષોની એ જ વૃત્તિ હોય
છે કે જે બીજાઓને ઉપકાર કરે છે. મુનિ વસંતમાલાને કહે છેઃ હે પુત્રી! આના ગર્ભમાં
ઉત્તમ બાળક આવ્યો છે. પ્રથમ તો તેના ભવ સાંભળ. પછી તેણે પૂર્વ ભવમાં જે પાપનું
આચરણ કર્યું હતું અને જેના કારણે આ અંજના આવું દુઃખ પામી તે સાંભળ.
કલ્યાણરૂપ જે દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ ગુણોનો ધારક હતો. એક દિવસ વસંતઋતુમાં