પૂર્વ ગુરુઓનાં નામ વગેરેનું વર્ણન કરનાર વીસમું પર્વ પૂર્ણ થયું.
ઉત્પત્તિનું કથન કરીએ છીએ. તે હૃદયમાં રાખજે. દસમા તીર્થંકર શીતળનાથ સ્વામી મોક્ષ
પામ્યા પછી કૌંશાંબી નગરીમાં એક સુમુખ નામના રાજા થયા. તે જ નગરમાં એક વીરક
નામના શ્રેષ્ઠી હતા. તેની સ્ત્રી વનમાલાને રાજા સુમુખે અજ્ઞાનના ઉદયથી પોતાના ઘરમાં
રાખી. થોડા સમય બાદ વિવેક જાગ્રત થયો. તેણે મુનિઓને દાન આપ્યું. તે મરીને
વિદ્યાધર થયો અને વનમાલા વિદ્યાધરી થઈ. તે વિદ્યાધરને પરણી. એક દિવસ તે બન્ને
ક્રીડા કરવા માટે હરિક્ષેત્ર ગયાં. વનમાલાનો પતિ પેલો શ્રેષ્ઠી વીરક પત્નીના વિરહાગ્નિમાં
બળતો, તપ કરીને દેવલોકમાં ગયો. એક દિવસે અવધિજ્ઞાનથી તે દેવે પોતાના વેરી
સુમુખના જીવને હરિક્ષેત્રમાં ક્રીડા કરતો જોયો. તે ગુસ્સે થઈને ત્યાંથી ભાર્યા સહિત તેને
ઉપાડી ગયો. તેથી તે ક્ષેત્રમાં તે હરિ નામથી પ્રસિદ્ધ થયો અને તેનું કુળ હરિવંશ કહેવાયું.
તે હરિને મહાગિરિ નામનો પુત્ર થયો અને તેનું કુળ હરિવંશ કહેવાયું. તે હરિને મહાગિરિ
નામનો પુત્ર થયો, તેને હિમગિરિ, તેને વસુગિરિ, તેને ઇન્દ્રગિરિ, તેને રત્નમાળ, તેને
સંભૂત, તેને ભૂતદેવ ઈત્યાદિ સેંકડો રાજા હરિવંશમાં થયા. તેજ હરિવંશમાં કુશાગ્ર નામના
નગરમાં એક સુમિત્ર નામે જગપ્રસિદ્ધ રાજા થયો. તે ભોગોમાં ઇન્દ્ર સમાન હતો, પોતાની
કાંતિથી તેણે ચંદ્રમાને અને દીપ્તિથી સૂર્યને જીતી લીધા હતા અને પ્રતાપ વડે શત્રુઓને
નમાવ્યા હતા. તેની રાણી પદ્માવતી, જેનાં નેત્ર કમળ સમાન હતાં, શુભ લક્ષણોથી સંપૂર્ણ
હતી, જેનાં સર્વ મનોરથ પૂર્ણ થયાં હતાં, તે રાત્રે મનોહર મહેલમાં સુખરૂપ સેજ પર સૂતી
હતી ત્યારે તેણે પાછલા પહોરે સોળ સ્વપ્ન જોયાં. ગજરાજ, વૃષભ, સિંહ, સ્નાન કરતી
લક્ષ્મી, બે પુષ્પમાળા, ચંદ્રમા, સૂર્ય, જળમાં કેલિ કરતા બે મત્સ્ય, જળનો ભરેલ તથા
કમળોથી મુખ ઢાંકેલો કળશ, કમળપૂર્ણ સરોવર, સમુદ્ર, સિંહાસન રત્નજડિત, આકાશમાંથી
આવતાં સ્વર્ગનાં વિમાન, પાતાળમાંથી નીકળતાં નાગકુમારનાં વિમાન, રત્નોની રાશિ
અને નિર્ધૂમ અગ્નિ; આ સોળ સ્વપ્નો જોયાં. સુબુદ્ધિમાન રાણી પદ્માવતી જાગીને
પ્રભાતની ક્રિયા કરીને, ચિત્તમાં આશ્ચર્ય પામતી, વિનયપૂર્વક પતિની પાસે આવી. આવીને
પતિના સિંહાસન પર બેઠી. જેનું મુખકમળ ફુલાયું છે એવી. મહાન્યાયને જાણનારી,
પતિવ્રતા, હાથ જોડી નમસ્કાર કરી પતિને સ્વપ્નોનું ફળ પૂછવા લાગી. રાજા સુમિત્ર તેને
સ્વપ્નોનું યથાર્થ ફળ કહેવા લાગ્યા. તે વખતે આકાશમાંથી