છીએ. એ સુગ્રીવનું ચામર ઢોળનારી દાસી બનશે. ત્યારે મંદોદરી આંખમાંથી આંસુ સારવા
અને વિલાપ કરવા લાગી. રાવણના પગમાં પડે, કોઈ વાર હાથમાં પડે અને પતિને કહેવા
લાગી હે નાથ! મારી રક્ષા કરો. મારી આવી દશા શું તમે જોતા નથી? શું તમે બીજા જ
થઈ ગયા છો? તમે રાવણ છો કે કોઈ બીજા છો? અહો! જેવી નિર્ગ્રંથ મુનિની
વીતરાગતા હોય તેવી વીતરાગતા તમે પકડી છે તો આવા દુઃખમાં આ અવસ્થા કેવી?
ધિક્કાર છે તમારા બળને કે આ પાપીનું શિર ખડ્ગથી કાપી નથી નાખતા. તમે મહા
બળવાન ચંદ્ર-સૂર્ય જેવા પુરુષોનું અપમાન સહી શકતા નથી તો આવા રંકનું કેવી રીતે
સહો છો? હે લંકેશ્વર! ધ્યાનમાં ચિત્ત જોડયું છે, ન કોઈનું સાંભળો છો, ન કોઈને જુઓ
છો, અર્ધપલ્યંકાસન ધરીને બેઠા છો, અહંકાર છોડી દીધો છે, જેમ સુમેરુનું શિખર અચળ
હોય તેમ અચળ થઈને બેઠા છો, સર્વ ઇન્દ્રિયની ક્રિયા તજી દીધી છે, વિદ્યાના આરાધનમાં
તત્પર નિશ્ચળ શરીર કરી એવી રીતે બેઠા છો, જાણે કે કાષ્ઠના હો અથવા ચિત્ર હો. જેમ
રામ સીતાને ચિંતવે તેમ તમે વિદ્યાને ચિંતવો છો, સ્થિરતા કરીને સુમેરુ તુલ્ય થયા છો.
મંદોદરી જ્યારે રાવણને આ પ્રમાણે કહેતી હતી તે જ સમયે બહુરૂપિણી વિદ્યા દશેય
દિશામાં જયજયકાર કરતી રાવણની સમીપે આવીને ઊભી રહી અને કહેવા લાગી-હે દેવ!
આજ્ઞામાં ઉદ્યમી હું તમને સિદ્ધ થઈ છું, મને આદેશ આપો, એકચક્રી, અર્ધચક્રી સિવાય
તમારી આજ્ઞાથી વિમુખ હોય તેને વશીભૂત કરું. આ લોકમાં હું તમારી આજ્ઞાકારિણી છું,
અમારા જેવાની એ જ રીત છે, અમે ચક્રવર્તીઓથી સમર્થ નથી. જો તું કહે તો સર્વ
દૈત્યોને જીતું, દેવોને વશ કરું, જે તને અપ્રિય હોય તેને વશ કરું અને વિદ્યાધરો તો મારા
માટે તણખલા બરાબર છે. વિદ્યાનાં આ વચન સાંભળી રાવણ યોગ પૂર્ણ કરી જ્યોતિનો
ધારક, ઉદાર ચેષ્ટાનો ધારક શાંતિનાથના ચૈત્યાલયની પ્રદક્ષિણા કરવા લાગ્યો. તે જ સમયે
અંગદ મંદોદરીને છોડી, આકાશગમન કરી રામની સમીપે આવ્યો.
સિદ્ધિનું વર્ણન કરનાર એકોત્તેરમું પર્વ પૂર્ણ થયું.
મૂર્ખ અંગદે આવીને અમારું અપમાન કર્યું. તમે પરમ તેજના ધારક સૂર્ય સમાન ધ્યાનારૂઢ
હતા અને આગિયા જેવા વિદ્યાધર, તમારા મુખ સામે જ સુગ્રીવનો પાપી છોકરો અમારા
ઉપર ઉપદ્રવ કરે. તેમનાં