Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 461 of 660
PDF/HTML Page 482 of 681

 

background image
પદ્મપુરાણ બોત્તેરમું પર્વ ૪૬૧
વચન સાંભળી રાવણે બધાને દિલાસો આપ્યો અને કહ્યુંઃ હે પ્રિયે! તે પાપી એવી કુચેષ્ટા
કરે છે તે મૃત્યુના પાશથી બંધાયો છે. તમે દુઃખ છોડો, જેમ સદા આનંદમાં રહો છો તેમ
જ રહો, હું સુગ્રીવને સવારમાં જ નિગ્રીવ એટલે કે મસ્તકરહિત કરી દઇશ. બન્ને ભાઈ
રામ-લક્ષ્મણ ભૂમિગોચરી કીટ સમાન છે તેની ઉપર શું કોપ કરવો? આ દુષ્ટ વિદ્યાધરો
બધા એની પાસે ભેગા થઈ ગયા છે તેમનો નાશ કરીશ. હે પ્રિયે! મારી ભૃકુટિ વાંકી
થતાં જ શત્રુનો વિલય થઈ જાય છે અને હવે તો બહુરૂપિણી મહાવિદ્યા સિદ્ધ થઈ છે.
મારી પાસેથી શત્રુ કેવી રીતે જીવશે? આ પ્રમાણે બધી સ્ત્રીઓને ખૂબ ધીરજ આપીને
મનમાં માની લીધું કે મેં શત્રુને હણી નાખ્યા. તે ભગવાનના મંદિરમાંથી બહાર આવ્યો,
નાના પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં, ગીત-નૃત્ય થવા લાગ્યાં, રાવણનો અભિષેક
થયો, કામદેવ સમાન જેનું રૂપ છે તેને સ્વર્ણ રત્નોના કળશથી સ્ત્રીઓ સ્નાન કરાવવા
લાગી. તે સ્ત્રીઓનાં શરીર કાંતિરૂપ ચાંદનીથી મંડિત છે, ચંદ્રમા સમાન બદન છે અને
સફેદ મણિના કળશથી સ્નાન કરાવે છે તેથી અદ્ભુત જ્યોતિ ભાસતી હતી. કેટલીક કમળ
સમાન કાંતિવાળી સ્ત્રીઓ જાણે કે સંધ્યા ખીલી ઊઠી હોય તેવી ઉગતા સૂર્ય જેવા
સોનાના કળશોથી સ્નાન કરાવે છે, જાણે કે સાંજ જ જળ વરસાવે છે અને કેટલીક
સ્ત્રીઓ હરિતમણિના કળશોથી સ્નાન કરાવતી અત્યંત હર્ષથી શોભે છે, જાણે સાક્ષાત્
લક્ષ્મી જ છે, તેમના કળશના મુખ પર કમળપત્ર છે. કેટલીક કેળાના ગર્ભસમાન કોમળ
અત્યંત સુંદર શરીરવાળી, જેમની આસપાસ ભ્રમર ગુંજારવ કરે છે, તે નાના પ્રકારના
સુગંધી લેપથી રાવણને રત્નજડિત સિંહાસન પર સ્નાન કરાવતી હતી. રાવણે સ્નાન
કરીને આભૂષણો પહેર્યાં, અત્યંત સાવધાન ભાવથી પૂર્ણ શાંતિનાથ ભગવાનના મંદિરમાં
ગયો, ત્યાં અરહંતદેવની પૂજા કરીને સ્તુતિ કરવા અને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો.
પછી ભોજનશાળામાં આવી ચાર પ્રકારનો ઉત્તમ આહાર કર્યો-અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય,
ભોજન કર્યા પછી વિદ્યાની પરીક્ષા કરવા ક્રીડાભૂમિમાં ગયો ત્યાં વિદ્યાથી અનેક રૂપ
બનાવી નાના પ્રકારનાં અદ્ભુત કાર્ય વિદ્યાધરોથી ન બની શકે તે બહુરૂપિણી વિદ્યાથી
કર્યાં. પોતાના હાથના પ્રહાર વડે ભૂકંપ કર્યો, રામના સૈન્યમાં કપિઓને એવો ભય
ઉપજ્યો કે જાણે મૃત્યુ જ આવ્યું. રાવણને મંત્રીઓ કહેવા લાગ્યા કે હે નાથ! તમારા સિવાય
રાઘવને જીતનાર બીજું કોઈ નથી, રામ મહાન યોદ્ધા છે, અને ક્રોધ કરે ત્યારે તો શું કહેવું?
તેથી તેની સામે તમે જ આવો, બીજો કોઈ રણમાં રામની સામે આવવાને સમર્થ નથી.
પછી રાવણે બહુરૂપિણી વિદ્યાથી માયામયી કટક બનાવ્યું અને પોતે જ્યાં સીતા
હતી ત્યાં ઉદ્યાનમાં ગયો, મંત્રોથી મંડિત જેમ દેવોથી સંયુક્ત ઇન્દ્ર હોય તેવો સૂર્ય સમાન
કાંતિવાળો આવવા લાગ્યો. તેને આવતો જોઈ વિદ્યાધરીઓ સીતાને કહેવા લાગી, હે શુભે!
મહાજ્યોતિવંત રાવણ પુષ્પક વિમાનમાંથી ઊતરીને આવ્યો છે, જેમ ગ્રીષ્મઋતુમાં સૂર્યનાં
કિરણોથી આતાપ પામેલો ગજેન્દ્ર સરોવરી પાસે આવે તેમ કામરૂપ અગ્નિથી તપ્ત થયેલો
તે આવે છે. આ પ્રમદ નામનું ઉદ્યાન પુષ્પોની શોભાથી શોભે છે. સીતા બહુરૂપિણી વિદ્યા
સંયુક્ત રાવણને જોઈને