તેને પકડી રાજાની આજ્ઞાથી આઠેય અંગ કાપી નાખવા માટે નગરની બહાર લઈ જતા
હતા ત્યાં કલ્યાણ નામના સાધુએ તેને કહ્યું કે જો તું મુનિ થા તો તને છોડાવું. તેણે મુનિ
થવાનું કબૂલ કર્યું એટલે સાધુએ નોકરો પાસેથી તેને છોડાવ્યો. તે મુનિ થઈ તપ કરી
સ્વર્ગમાં ઋજુ વિમાનનો સ્વામી થયો. હે શ્રેણિક! ધર્મથી શું ન થાય!
અર્કમુખ અને પરમુખ નામના આઠ પુત્રો હતા. રાજા ચંદ્રભદ્રની બીજી રાણી કનકપ્રભાને
અચળ નામનો પુત્ર હતો. કુલંધર બ્રાહ્મણનો જીવ જે સ્વર્ગમાં દેવ થયો હતો તે ત્યાંથી
ચ્યવીને અચળરૂપે જન્મ્યો હતો. તે કળાવાન, ગુણોથી પૂર્ણ, સર્વ લોકોનું મન હરનાર,
દેવકુમાર તુલ્ય ક્ીડા કરતો.
અપને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ખૂબ દુઃખી થઈ પૃથ્વી પર ભટકતો. અચળકુમાર રાજા
ચંદ્રભદ્રને અતિપ્રિય હતો તેથી અચળની મોટી માતા ધરા, તેના ત્રણ ભાઈ અને આઠ
પુત્રોઓ એકાંતમાં મળીને અચળને મારી નાખવાનું કાવતરું કર્યું. આ વાતની ખબર
અચળની માતા કનકપ્રભાને પડી ગઈ. તેથી તેણે પુત્રને ઘરમાંથી ભગાડી મૂક્યો. તે
તિલકવનમાં પહોંચ્યો ત્યાં તેના પગમાં કાંટો વાગ્યો. તે વખતે કંપનો પુત્ર અપ લાકડાનો
ભારો લઈને ત્યાંથી નીકળ્યો. તેણે અચળકુમારને કાંટો વાગવાથી પિડાતો જોયો અને તેને
દયા આવી. તેણે પોતાનો કોષ્ઠનો ભારો નીચે ઉતાર્યો અને છરીથી કુમારના પગમાંથી
કાંટો કાઢયો તેથી કુમાર ખૂબ પ્રસન્ન થયો. તેણે અપને કહ્યું કે તું મારું અચળકુમાર નામ
યાદ રાખજે અને મને રાજા તરીકે થયેલો સાંભળે ત્યારે મારી પાસે આવજે. આ પ્રમાણે
કહી અપને વિદાય કર્યો. અત્યંત દુઃખી રાજકુમાર ફરતો ફરતો કૌશાંબી નગરીમાં આવ્યો.
તે પરાક્રમી હતો. તેણે બાણવિદ્યાના ગુરુ વિશિષાચાર્યને જીતી પ્રતિષ્ઠા મેળવી હતી તેથી
રાજાએ અચળને નગરમાં લાવી પોતાની ઇન્દ્રદત્તા નામની પુત્રી પરણાવી. તેણે પુણ્યના
પ્રભાવથી અનુક્રમે રાજ્ય પણ મેળવ્યું. અંગાદિ અનેક દેશો જીતીને તે મથુરા આવ્યો અને
નગરની બહાર પડાવ નાખ્યો. તેની સાથે મોટી સેના હતી. બધા સામંતોએ સાંભળ્યું કે
આ રાજા ચંદ્રભદ્રનો પુત્ર અચળકુમાર છે. તેથી બધા આવીને તેને મળ્યા. રાજા ચંદ્રભદ્ર
એકલો પડી ગયો. તેથી રાણી ધરાના ત્રણે ભાઈઓને તેની સાથે સંધિ કરવા મોકલ્યા.
તેમણે જઈને કુમારને જોયો અને ગભરાઈને ભાગ્યા અને ધરાના આઠ પુત્રો પણ ભાગી
ગયા. અચળકુમારની માતા આવી તેને લઈ ગઈ અને પિતા સાથે મેળાપ કરાવ્યો.
પિતાએ તેને રાજ્ય આપ્યું.
કાઢયો હતો. તેણે દરવાનને રોક્યો અને અપને અંદર બોલાવ્યો, તેના પર ઘણી કૃપા