સુખી થાય? જે પાપી પરસ્ત્રીનું સેવન કરે તે કષ્ટસાગરમાં પડે અને શ્રી રામચંદ્ર
મહાશીલવાન, પરદારા-પરાઙમુખ, જિનશાસનના ભક્ત ધર્માનુરાગી ઘણો કાળ, રાજ્ય
ભોગવી સંસારને અસાર જાણી, વીતરાગના માર્ગમાં પ્રવર્ત્યા, પરમપદ પામ્યા. બીજાઓ પણ
જે વીતરાગના માર્ગે પ્રવર્તશે તે શિવપુર પહોંચશે. તેથી જે ભવ્ય જીવ છે તે જિનમાર્ગની દ્રઢ
પ્રતીતિ કરીને પોતાની શક્તિ પ્રમાણે વ્રતનું આચરણ કરો. જો પૂર્ણ શક્તિ હોય તો મુનિ
થાવ અને ન્યૂન શક્તિ હોય તો અણુવ્રતના ધારક શ્રાવક થાવ. આ પ્રાણી ધર્મના ફળથી
સ્વર્ગમોક્ષનાં સુખ પામે છે અને પાપના ફળથી નરક નિગોદનાં ફળ પામે છે, એમ નિઃસંદેહ
જાણો. અનાદિકાળની આ જ રીત છે-ધર્મ સુખદાયક અને અધર્મ દુઃખદાયક છે, પાપ કોને
કહેવાય અને પુણ્ય કોને કહેવાય તે હૃદયમાં નક્કી કરો. ધર્મના જેટલા ભેદ છે તેમાં સમ્યક્ત્વ
મુખ્ય છે અને જેટલા પાપના ભેદ છે તેમાં મિથ્યાત્વ મુખ્ય છે. તે મિથ્યાત્વ એટલે શું?
અતત્ત્વની શ્રદ્ધા અને કુદેવ, કુગુરુ, કુધર્મનું આરાધન, પરજીવને પીડા પહોંચાડવી. ક્રોધ, માન,
માયા, લોભની તીવ્રતા, પાંચ ઈન્દ્રિયોના વિષય, સાત વ્યસનનું સેવન, મિત્રદ્રોહ,કૃતઘ્નપણું,
વિશ્વાસઘાત, અભક્ષ્યભક્ષણ, અગમ્યવિષગમન, મર્મચ્છેદક વચન, દુર્જનતા ઈત્યાદિ પાપના
અનેક ભેદ છે તે બધા છોડવા. દયા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, શીલ પાળવું,
તૃષ્ણા છોડવી, કામલોભ તજવા, શાસ્ત્રનો અભ્યાસ કરવો, કોઈને કુવચન ન કહેવા, ગર્વ ન
કરવો, પ્રપંચ ન કરવો, અદેખા ન થવું, શાંતભાવ રાખવા, પરઉપકાર કરવો, પરદારા,
પરધન, પરદ્રોહ તજવા, પરપીડાનાં વચન ન કહેવાં; બહુ આરંભ, બહુ પરિગ્રહનો ત્યાગ
કરવો, દાન દેવું, તપ કરવું, પરદુઃખહરણ ઈત્યાદિ જે અનેક પુણ્યોના ભેદ છે તે અંગીકાર
કરવા. હે પ્રાણીઓ! શુભ સુખદાતા છે અને અશુભ દુઃખદાતા છે, દારિધ્રય, દુઃખ, રોગ, પીડા,
અપમાન, દુર્ગતિ આ બધાં અશુભના ઉદયથી થાય છે. સુખ, સંપત્તિ, સુગતિ એ બધાં
શુભના ઉદયથી થાય છે. શુભ-અશુભ જ સુખદુઃખનાં કારણ છે. કોઈ દેવ, દાનવ, માનવ,
સુખદુઃખના દાતા નથી. પોતપોતાનાં ઉપાર્જેલાં કર્મના ફળ બધા ભોગવે છે. બધા જીવો પ્રત્યે
મૈત્રી રાખવી, કોઈ પ્રત્યે વેર ન રાખવું, કોઈને દુઃખ ન દેવું, બધા જ સુખી થાય એવી
ભાવના મનમાં રાખવી. પ્રથમ અશુભને તજી શુભમાં આવવું. પછી શુભાશુભથી રહિત થઈ
શુદ્ધપદને પ્રાપ્ત થવું. ઘણું કહેવાથી શો લાભ? આ પુરાણનું શ્રવણ કરીને એક શુદ્ધ
સિદ્ધપદમાં આરૂઢ થવું, તેના ભેદ, કર્મોનો વિલય કરી આનંદરૂપ રહેવું. હે પંડિતો!
પરમપદના ઉપાય નિશ્ચયથી જિનશાસનમાં કહ્યા છે, તે પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરો
જેથી ભવસાગરથી પાર થાવ. આ શાસ્ત્ર અતિમનોહર, જીવોને શુદ્ધતા આપનાર, રવિ
સમાન સકળ વસ્તુનું પ્રકાશક છે તે સાંભળીને પરમાનંદ સ્વરૂપમાં મગ્ન થાવ. સંસાર અસાર
છે, જિનધર્મ સાર છે, જેનાથી સિદ્ધપદ પામીએ છીએ, સિદ્ધપદ સમાન બીજો પદાર્થ નથી.
જ્યારે શ્રી ભગવાન ત્રણ લોકના સૂર્ય વર્દ્ધમાન દેવાધિદેવ સિદ્ધલોકમાં સિધાવ્યા ત્યારે ચોથા
કાળનાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી હતાં. ભગવાન મુક્ત થયા પછી
પંચમકાળમાં ત્રણ કેવળી અને પાંચ શ્રુતકેવળી થયા તેથી ત્યાં સુધી તો પુરાણ પૂર્ણ