Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 105
PDF/HTML Page 10 of 113

 

background image
૨ ][ પંચસ્તોત્ર
ભાવાર્થ :ભક્તિ કરનારા દેવો પગે લાગે છે તે વખતે તેમના
નમેલા મુગટની અંદર રહેલા મણિઓની કાંતિને પણ પ્રકાશ આપનાર,
પાપરૂપી અંધકારના સમૂહોનો નાશ કરનાર અને યુગાદિથી સંસારરૂપી
સમુદ્રમાં પડેલા માણસોના આશ્રયરૂપ એવા શ્રી આદિનાથ જિનેન્દ્રસ્વામીના
બન્ને ચરણને રૂડે પ્રકારે નમસ્કાર કરી હું પ્રથમ જિનેન્દ્ર શ્રી આદિનાથ
ભગવાનની સ્તુતિ કરું છું. ઇન્દ્રદેવે પણ તમામ શાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન
જાણવાથી ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિ વડે ત્રણલોકનું ચિત્ત હરણ કરે એવા
ઉદાર સ્તોત્રથી પણ તેમની સ્તુતિ કરી છે, એવા જિનેન્દ્ર આદિનાથસ્વામીની
હું પણ સ્તુતિ કરીશ. ૧-૨.
बुद्धया विनाऽपि विबुधार्चितपादपीठ !
स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम्
बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब
मन्यः क इच्छति जनः सहसा गृहीतुम् ।।।।
બુદ્ધિ વિના જ સુરપૂજીતપાદપીઠ!
મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ!
લેવા શિશુ વિણ જળે સ્થિત ચંદ્રબિંબ,
ઇચ્છા કરે જ સહસા જન કોણ અન્ય. ૩.
ભાવાર્થ :હે દેવો દ્વારા પૂજ્યનીય! મને ચરણબુદ્ધિ નથી તોપણ
મેં જે આપની સ્તુતિ કરવા માંડી છે એ મારી નિર્લજતા છે. હે નાથ!
બાળક સિવાય બીજું કોણ પાણીમાં પડેલા ચંદ્રમાંના પડછાયાને હાથોથી
પકડવાની ઇચ્છા કરી શકે છે? અર્થાત્ મારો આ પ્રયત્ન બાળકના જેવો
છે. ૩.
वक्तुं गुणान् गुणसमुद्र ! शशाङ्ककांतान्
कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया
कल्पान्तकालपवनोद्धतनक्रचक्र
को वा तरीतुमलमंबुनिधिं भुजाभ्याम्
।।।।