Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 5 of 105
PDF/HTML Page 13 of 113

 

background image
ભક્તામરસ્તોત્ર ][ ૫
मत्वेति नाथ ! तव संस्तवनं मयेद
मारभ्यते तनुधियाऽपि तव प्रभावात्
चेतो हरिष्यति सतां नलिनीदलेषु
मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः
।।।।
માનીજ તેમ સ્તુતિ નાથ! તમારી આ મેં,
આરંભી અલ્પમતિથી પ્રભુના પ્રભાવે;
તે ચિત્ત સજ્જન હરે જ્યમ બિંદુ પામે
મોતી તણી કમળપત્ર વિષે પ્રભાને. ૮.
ભાવાર્થ :હે નાથ! એવું સમજીને પણ ઓછી બુદ્ધિવાળો હોવા
છતાં પણ હું જે આપની સ્તુતિ કરું છું એ પણ આપના પ્રભાવથી
સજ્જનોના ચિત્ત તો હરણ કરશે જ; જેમકે કમળના પાંદડાં પર પડેલું
પાણીનું ટીપું મોતી જેવું સુંદર દેખાઈને લોકોના ચિત્તને હરણ કરે છે. ૮.
आस्तां तव स्तवनमस्तसमस्तदोषं
त्वत्संकथापि जगतां दुरितानि हन्ति
दूरे सहस्रकिरणः कुरूते प्रभैव
पद्माकरेषु जलजानि विकाश भाञ्जि
।।।।
દૂરે રહો રહિત દોષ સ્તુતિ તમારી,
ત્હારી કથા પણ અહો! જનપાપહારી;
દૂર રહે રવિ તથાપિ તસ પ્રભાએ,
ખીલે સરોવર વિષે કમળો ઘણાંએ! ૯.
ભાવાર્થ :પ્રભો! આપની નિર્દોષ સ્તુતિ તો ક્યાં રહી! આપની
પવિત્ર કથાથી પણ જીવોને સંસારનાં બધાં પાપો નષ્ટ થઈ જાય છે. એ
સાચી વાત છે કે સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેનાં કિરણો સરોવરમાંનાં
કમળોને પ્રફુલ્લિત કરે છે. ૯.